ભારતના સૌથી સફળ કોચ કોણ? જાણો લિસ્ટમાં કોના કોના નામ?
ભારતને વર્લ્ડ કપ જીતાડીને રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાના કોચ પદેથી વિદાય લીધી છે અને ગૌતમ ગંભીરને કોચ બનાવાયા છે.
કોચની ચર્ચા આવે એટલે ક્રિકેટ ફેન્સના મનમાં એ સવાલ ચોક્કસ આવે કે ભારતના સૌથી સફળ કોચ કોણ? આ લિસ્ટમાં રાહુલ દ્રવિડથી લઈને ગેરી ક્રસ્ટન સુધીના નામ સામેલ છે.

જ્હોન રાઈટ
ન્યુઝીલેન્ડના જોન રાઈટ વર્ષ 2000માં ભારતના કોચ બન્યા હતા. તે 2005 સુધી ટીમ ઈન્ડિયાના કોચ રહ્યા. આ સમયગાળા દરમિયાન ભારતે ત્રણેય ફોર્મેટમાં 182 મેચ રમી હતી. ભારતને 89 મેચમાં જીત અને 71 માં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્હોન રાઈટની જીતની ટકાવારી 48.9 હતી.
ગ્રેગ ચેપલ
ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલ 2005માં ભારતના કોચ બન્યા હતા. તે 2007 સુધી આ પદ પર રહ્યા. ટીમ ઈન્ડિયાએ તેમના કોચિંગ હેઠળ 81 મેચ રમી છે. આ દરમિયાન ભારતે 40 મેચ જીતી છે. ભારત 31 મેચમાં હારી ગયું છે. ગ્રેગ ચેપલના કોચિંગ હેઠળ ભારતની જીતની ટકાવારી 49.4 હતી.
ગેરી કર્સ્ટન
દક્ષિણ આફ્રિકાના ગેરી કર્સ્ટન 2008 થી 2011 સુધી ભારતના કોચ હતા. તેના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ 2011 ODI વર્લ્ડ કપ જીત્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન ભારતને સૌથી મોટી સફળતા મળી. કર્સ્ટનના નેતૃત્વમાં ભારતે 144 મેચ રમી અને 85માં જીત મેળવી. ટીમ ઈન્ડિયાને 44 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતની જીતની ટકાવારી 59 હતી.
ડંકન ફ્લેચર
ઝિમ્બાબ્વેના ડંકન ફ્લેચર 2011 થી 2015 સુધી ભારતના કોચ હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 171 મેચમાં 92 જીત મેળવી છે. 62 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતની જીતની ટકાવારી 53.8 હતી.
અનિલ કુંબલે
પૂર્વ ભારતીય ટેસ્ટ કેપ્ટન અનિલ કુંબલે 2016 થી 2017 સુધી કોચનું પદ સંભાળ્યું હતું. આ દરમિયાન ભારતે 37 મેચમાં 23 જીત મેળવી છે. ભારત 8 મેચમાં હારી ગયું. કુંબલેના કોચિંગ હેઠળ જીતવાની ટકાવારી 62.1 હતી.
રવિ શાસ્ત્રી
કુંબલે બાદ રવિ શાસ્ત્રી 2017માં કોચ બન્યા. તેઓ 2021 સુધી આ પદ પર રહ્યા. શાસ્ત્રીના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ 184 મેચમાં 121 જીત હાંસલ કરી હતી. 53 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની જીતની ટકાવારી 65.8 હતી.
રાહુલ દ્રવિડ
પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ 2021માં રવિ શાસ્ત્રી બાદ કોચ બન્યા હતા. દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં અને ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. જે બાદ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો. તેના કોચ તરીકેના કાર્યકાળ દરમિયાન ભારતે 144 મેચ રમી. આ સમયગાળા દરમિયાન 103 મેચ જીતી અને 36 હાર્યા. ભારતની જીતની ટકાવારી 71.5 હતી. 2000 પછી કોઈપણ પૂર્ણ-સમયના કોચની આ શ્રેષ્ઠ જીતની ટકાવારી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
