જો બાઈડને જી20માં પીએમ મોદી સામે ઉઠાવ્યો હતો કેનેડામાં નિજ્જરની હત્યાનો મુદ્દોઃ રિપોર્ટ
India-Canada row: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને અન્ય નેતાઓએ દિલ્હીમાં G20 સમિટમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કેનેડાના દાવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ફાઈનાન્શિયલ ટાઈમ્સે ગુરુવારે પોતાના અહેવાલમાં આવો દાવો કર્યો છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને G20માં પીએમ મોદી સાથે શીખ અલગતાવાદી ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

G20 સમિટમાં થયેલી ચર્ચાઓથી માહિતગાર ત્રણ લોકોને ટાંકીને અખબારે અહેવાલ આપ્યો છે કે ઈન્ટેલિજન્સ-શેરિંગ નેટવર્ક ફાઈવ આઈઝના કેટલાક સભ્યોએ જૂન 2023માં બ્રિટિશ કોલંબિયામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો મુદ્દો પીએમ નરેન્દ્ર મોદી સમક્ષ ઉઠાવ્યો હતો.
અહેવાલ મુજબ, કેનેડાએ તેના સાથી દેશોને આ મામલો સીધો PM મોદી સાથે ઉઠાવવા વિનંતી કર્યા પછી નેતાઓએ G20 સમિટમાં હસ્તક્ષેપ કર્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને ગુરુવારે અગાઉ કહ્યું હતું કે કેનેડામાં એક શીખ અલગતાવાદી નેતાની હત્યા અંગેના ઓટ્ટાવાના દાવા બાદ અમેરિકા ઉચ્ચ સ્તરે ભારતીયોના સંપર્કમાં છે અને વોશિંગ્ટન આ બાબતે ભારતને કોઈ "વિશેષ વ્યવસ્થા" આપશે નહીં. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્હાઇટ હાઉસે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
તમને જણાવી દઈએ કે G20 સમિટ 9 અને 10 સપ્ટેમ્બર 2023ના રોજ દિલ્હીમાં યોજાઈ હતી. G20 સમિટમાં PM નરેન્દ્ર મોદીએ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સમક્ષ અલગતાવાદી ખાલિસ્તાની નેતાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારત છોડ્યા બાદ 18 સપ્ટેમ્બરે કેનેડાની સંસદને સંબોધિત કરતી વખતે પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોનો હાથ હોઈ શકે છે. ત્યારથી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં અંતર વધી ગયું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
