દિલ્હી બનશે સરોવરોનું શહેર, 50 તળાવોની કાયાકલ્પ કરાવી રહી છે કેજરીવાલ સરકાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, દિલ્હી ટૂંક સમયમાં તળાવોનું શહેર બનશે, જે અહીં પ્રવાસનને વેગ આપશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, દિલ્હી ટૂંક સમયમાં તળાવોનું શહેર બનશે, જે અહીં પ્રવાસનને વેગ આપશે. કેજરીવાલની ઘોષણા પર વિસ્તૃત રીતે, નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, સરકાર રાજધાનીમાં 50 તળાવોને પુનર્જીવિત કરી રહી છે.

આ ક્રમમાં, સિસોદિયાએ ઉત્તર પશ્ચિમ દિલ્હીના બવાનામાં સ્થિત સનોથ તળાવના કામની પણ સમીક્ષા કરી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, દિલ્હીને 'સરોવરોનું શહેર' બનાવવાના મિશન હેઠળ સનોથ તળાવમાં થઈ રહેલા રિનોવેશન અને બ્યુટિફિકેશનના કામની સમીક્ષા કરી હતી. દરરોજ લાખો લીટર ટ્રીટેડ પાણીથી સુકાઈ જતું સનોથ તળાવ આજે દિલ્હીના સૌથી સુંદર પિકનિક સ્થળોમાંનું એક બની રહ્યું છે.
.@ArvindKejriwal जी के दिल्ली को City of Lakes बनाने के मिशन के तहत, सन्नोथ झील में हो रहे जीर्णोद्धार व सौंदर्यीकरण के काम का जायजा लिया
— Manish Sisodia (@msisodia) September 8, 2022
रोजाना लाखो लीटर ट्रीटेड पानी से, सूखे हुए सन्नोथ झील को नया स्वरूप देकर आज दिल्ली के सबसे सुंदर पिकनिक स्पॉट्स में परिवर्तित किया जा रहा है। pic.twitter.com/1OLjxrOTXm
તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટથી દિલ્હીની પાણીની અછતની સમસ્યા પણ દૂર થશે. આવા 50 તળાવો કે, જેમણે પોતાની ઓળખ ગુમાવી દીધી છે તેમને પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યા છે અને આનાથી ભૂગર્ભ જળ પણ રિચાર્જ થશે. જેના કારણે દિલ્હીમાં વધતા જળ સંકટનો ખતરો પણ ટળી જશે.












Click it and Unblock the Notifications
