Delhi News : મંત્રી તરીકે સૌરભ અને આતિશીએ લીધા શપથ, મળ્યા ચાર-ચાર ખાતા
Delhi News : 1981માં દિલ્હી યુનિવર્સિટી (DU)ના પ્રોફેસર વિજય સિંહ અને ત્રિપ્તા વાહીમાં જન્મેલી આતિશીએ દિલ્હીમાંથી શાળાકીય અને સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું.
Delhi News : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આતિશી અને સૌરભ ભારદ્વાજે ગુરૂવારના રોજ દિલ્હી કેબિનેટમાં મંત્રી પદની શપથ લીધી છે. બંને મંત્રીને ચાર-ચાર મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. દિલ્હીની નવનિયુક્તિ મંત્રી આતિશીને શિક્ષણ, પીડબલ્યુડી, વીજળી અને પર્યટન વિભાગ આપવામાં આવ્યા છે. આ સાથે સૌરભ ભારદ્વાજને આરોગ્ય, પાણી પુરવાઠા, ઉદ્યોગ અને શહેરી વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

કાલકાજી મતવિસ્તારના ધારાસભ્ય આતિશી મારલેના
આતિશી મારલેના કાલકાજી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને સિસોદિયાની એજ્યુકેશન ટીમના મુખ્ય સભ્ય રહી ચૂક્યા છે. તેણીએ પૂર્વ દિલ્હી મતવિસ્તારમાંથી 2019 ની લોકસભાની ચૂંટણી પણ લડી હતી અને ભાજપના ગૌતમ ગંભીર દ્વારા તેમનો પરાજય થયો હતો. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આતિશી ભારદ્વાજે દિલ્હી જળ બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી.

ગ્રેટર કૈલાશના ધારાસભ્ય છે સૌરભ ભારદ્વાજ
બીજી તરફ ગ્રેટર કૈલાશના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ પણ AAP સરકારના પ્રથમ કાર્યકાળમાં મંત્રી હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે દિલ્હી જળ બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.
દિલ્હીના મંત્રી પરિષદમાં હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત પાંચની સંખ્યા છે, જેમની પાસે કોઈ પોર્ટફોલિયો નથી. કથિત આબકારી નીતિ કૌભાંડમાં તેમની ધરપકડ બાદ સિસોદિયાએ તેમના તમામ 18 પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

મનિષ સિસોદિયાએ 18 પદ પરથી રાજીનામું આપ્યું
દિલ્હીના મંત્રી પરિષદમાં હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત સાત મંત્રીઓ છે. કથિત આબકારી નીતિ કૌભાંડમાં તેમની ધરપકડ બાદસિસોદિયાએ તેમના તમામ 18 પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
ગયા વર્ષે દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ પછી,તેમના દ્વારા સંચાલિત સાત પોર્ટફોલિયો સિસોદિયાને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે 18પોર્ટફોલિયોની સંભાળ રાખતા હતા. સોમવારના રોજ રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, બાદ હવે તે તિહાર જેલમાં બંધ છે.












Click it and Unblock the Notifications
