આતંકી હુમલા પર સરકારનો દાવ ફેલ, RTI માં થયો ખુલાસો
આરટીઆઇ દ્વારા થયો મોટો ખુલાસો, મોદી સરકારના ત્રણ વર્ષના કાર્યકાળમાં થયા છે વધુ આતંકી હુમલાઓ. સાથે જ યુપીએ સરકાર કરતા વધુ આર્થિક ખર્ચ પણ કરવામાં આવ્યો છે. તો સામે પછી જવાનો પણ વધુ શહીદ થયા છે.
એક તરફ ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ તેવો દાવો કરી રહ્યા છે કે કેન્દ્રમાં બેઠેલી તેમની સરકાર જમ્મુ કાશ્મીરમાં હાલત સુધારી રહી છે, આતંકીઓનો ખાતમો કરી રહી છે. અને જમ્મુ કાશ્મીરમાં શાંતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે એક આરટીઆઇમાં મોદી સરકારના આ દાવા પોકળ સાબિત થયા છે. એક આરટીઆઇ કાર્યકર્તાએ ગૃહમંત્રાલયમાં આ મામલે સવાલ કરતા જાણવા મળ્યું છે કે યુપીએ સરકાર એટલે કે મનમોહન સિંહની સરકારના કાર્યકાળમાં ગત ત્રણ વર્ષોમાં જમ્મુ કાશ્મીરમાં 705 આતંકી ઘટનાઓ થઇ છે. તેની સામે મોદી સરકારના ત્રણ વર્ષ દરમિયાન 812 આતંકી હુમલા થયા છે. જેમાં 183 ભારતીય સેનાના જવાનો શહીદ થયા છે અને 62 નાગરિકોની મોત થઇ છે.

આથી વિરુદ્ધ પહેલાની મનમોહન સરકારના 3 વર્ષના કાર્યકાળમાં 705 ઘટનાઓ થઇ છે જેમાં 105 ભારતીય સેનાના જવાનો શહીદ થયા છે. અને 59 નાગરિકોની મોત થઇ છે. ગૃહમંત્રાલયની આ સૂચના ઉત્તર પ્રદેશના રાજન તોમરે માંગી હતી. રાજને આરટીઆઇ દ્વારા આ ખુલાસો કર્યો છે કે હાલની સરકારે ગત ત્રણ વર્ષમાં 1890 કરોડ રૂપિયાની આતંકી ગતિવિધિઓનો અંત કરવા માટે ખર્ચી છે. ત્યાં જ મનમોહન સરકારે તેમના કાર્યકાળના છેલ્લા 3 વર્ષમાં 850 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
