અહીં મંદિરના સ્તંભમાંથી સંભળાય છે સંગીત, પાણીમાં તરે છે મંદિરની ઈંટો
ભારતમાં એકથી એક ભવ્ય મંદિરો આવેલા છે. આ મંદિરો તેની ભવ્યતા સાથે સાથે તેના રહસ્યો માટે દુનિયાભરમાં ચર્ચામાં રહે છે. આવુ જ એક મંદિર તેલંગાણામાં આવેલુ છે.
આ મંદિરોનું નામ કાકટિયા રુદ્રેશ્વર મંદિર છે અને તેને રામપ્પા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેલંગાણાના મુલુગુ જિલ્લાના પાલમપેટ ગામમાં આવેલું આ મંદિર 1213 માં બન્યુ છે અને ભગવાન શિવને સમર્પિત છે.

માન્યતા છે કે, આ મંદિર 13મી સદીના એન્જિનિયરિંગ અજાયબી છે. આ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં પણ સામેલ છે. મંદિરમાં ઘણી ચમત્કારી અને રહસ્યમય વિશેષતાઓ છે, જે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે.
આ મંદિરના મુખ્ય શિલ્પકાર પ્રસિદ્ધ શિલ્પકાર રામપ્પા હતા. આ મંદિરના નિર્માણમાં 1173 થી 1213 સુધી 40 વર્ષ લાગ્યા હતા. આ મંદિરનું નામ શિલ્પકાર રામપ્પાના નામ પરથી રાખવામાં આવ્યું છે.
આ મંદિરનું નિર્માણ સેન્ડસ્ટોન, ગ્રેનાઈટ, ડોલેરાઈટ અને લાઈમનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. મંદિર તેની જટિલ કોતરણી માટે જાણીતું છે, જે તેની શિલ્પો, દિવાલો, થાંભલાઓ અને છત પર દેખાય છે.
મંદિરનું શિખર અથવા ગોપુરમ ખાસ ઈંટોથી બનેલુ છે. આ ઇંટો એટલી હલકી છે કે જ્યારે પાણીમાં મૂકવામાં આવે ત્યારે તે તરે છે. આ ઇંટોનું વજન 0.85 થી 0.9 g/cc છે, જેની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે.
આ ઇંટો બાવળનું લાકડું, ભૂસી અને માયરોબાલનની માટીનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. તેને સ્પોન્જની જેમ બનાવવામાં આવે છે, જેના કારણે આ ઇંટો પાણીમાં તરતી રહે છે.
મંદિરના સ્તંભો તેની વિશેષતા માટે દુનિયાભરમાં જાણીતા છે. મંદિરના એક સ્તંભ પર ભગવાન કૃષ્ણની પ્રતિમા છે, જેમાં તે ઝાડ પર બેસીને વાંસળી વગાડતા જોવા મળે છે. તે ગોપિકા વસ્ત્રપ્રહારમની પૌરાણિક કથા દર્શાવે છે. જ્યારે ભગવાનની મૂર્તિ પર ટેપ કરવામાં આવે ત્યારે સપ્તસ્વર સંભળાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
