Indian Team for Sri Lanka Tour : શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીને કમાન સોંપાઈ
Indian Team for Sri Lanka Tour: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવાઈ છે. કેપ્ટનશિપને લઈને વિવાદોના અહેવાલો વચ્ચે સુર્યકુમાર યાદવને t20 ટીમની કેપ્ટનશિપ સોંપી દેવાઈ છે.
ત્રણ વનડે અને 3 T20 મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમમાં વનડે શ્રેણી માટે રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ કરાયો છે.

બીજી તરફ ટી-20 સિરીઝ માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટી20 ટીમમાં હાર્દિક પંડ્યાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રસપ્રદ વાત એ છે કે શુભમન ગીલને t20માં વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શ્રેયસ ઐયરની વાપસી થઈ છે અને રિયાન પરાગનો વનડેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ટીમમાં શુભમન ગિલને T20 અને ODI બંને માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે ગીલને ભવિષ્યની યોજનાઓમાં કેપ્ટનશિપ માટે તૈયાર કરવામાં આવી રહ્યોં છે. હાર્દિક પંડ્યાનો વનડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
ભારતની T20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ
ભારતની ODI ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રાયન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા
જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાએ પોતાને ODI શ્રેણીમાંથી બાકાત રાખવા કહ્યું હતુ. આ કારણોસર તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. શ્રેયસ ઐયરની વાપસી ટીમ ઈન્ડિયાને અનુભવ અને તાકાત આપશે. અય્યરને હવે વાર્ષિક કોન્ટ્રાક્ટ પણ મળશે.
રણજી ટ્રોફીમાં ન રમવા બદલ અય્યરને કરારમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. હવે તેના માટે બધું બરાબર ચાલી રહ્યું છે. ભારતીય ટીમ 27 જુલાઈએ શ્રીલંકા પ્રવાસ પર પ્રથમ T20 મેચ રમશે.
બીજી T20 મેચ 28મીએ અને ત્રીજી મેચ 30મી જુલાઈએ રમાશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ 2 ઓગસ્ટે રમાશે. બીજી મેચ 4ઠ્ઠી અને ફાઈનલ મેચ 7મી ઓગસ્ટે રમાશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
