તવાંગમાં ભારત-ચીન સરહદે થયેલી અથડામણ પર શું કહે છે વીદેશી મીડિયા? ચીનને થયુ વધુ નુકશાન
અરૂણાચલમાં ભારત ચીન સરહદે અવાર નવાર બન્ને દેશોની સેનાઓ આમને સામને આવી જાય છે. અરૂણાચલના તવાંગમાં થયેલી ભારત ચીનની સેનાઓ વચ્ચેની ઝડપમાં આંતરરાષ્ટ્રિય મીડિયાએ પ્રતિક્રીયા આપી હતી. વિદેશી મીડિયાએ ચીનને વધુ નુકશાન થયુ હોવાની
9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી અને ભારતીય સેના વચ્ચે અથડામણ થઈ હતી. આ વખતે આ અથડામણ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં થઈ છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની આ અથડામણની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. બીબીસીએ આ અથડામણમાં ભારત કરતાં વધુ ચીની સૈનિકોની જાનહાનિ વિશે લખ્યું છે, જ્યારે ચીનનો એક ભાગ એવા હોંગકોંગથી પ્રકાશિત અખબાર સાઉથ મોર્નિંગ પોસ્ટે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

ધ વોશિંગ્ટન પોસ્ટ (અમેરિકા)
અમેરિકાની વેબસાઈટ ધ વોશિંગ્ટન પોસ્ટે લખ્યું છે કે સરહદ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ. બંને પક્ષે નાની મોટી ઈજાઓ થઈ છે. ભારત વતી રાજનાથ સિંહે સંસદમાં ભારતનો પક્ષ રજૂ કર્યો છે પરંતુ ચીને આ અંગે સ્પષ્ટ જવાબ આપ્યો નથી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનઈને કહ્યું છે કે ચીન-ભારત સરહદ પર વર્તમાન સ્થિતિ એકંદરે શાંતિપૂર્ણ અને સ્થિર છે.

ધ સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ (ચીન)
હોંગકોંગની વેબસાઈટ ધ સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે લખ્યું છે કે આ અથડામણમાં 20 ભારતીય સૈનિકો ઘાયલ થયા છે. વેબસાઈટે લખ્યું છે કે આ અથડામણમાં ભારત કરતા વધુ ચીની સૈનિકો ઘાયલ થયા છે. આ સાથે સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ પણ લખે છે કે ભારત અને અમેરિકામાં ચીનના એમ્બેસીએ આ અથડામણ અંગે મૌન સેવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રાલયે પણ હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી.

BBC (બ્રિટન)
બ્રિટનની વેબસાઈટ બીબીસીએ ન્યૂઝ એજન્સી રોઈટર્સને ટાંકીને આ સમાચાર લખ્યા છે. સમાચારમાં લખવામાં આવ્યું છે કે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં બંને દેશો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બંને પક્ષના સૈનિકોને થોડી ઈજા થઈ છે. બીબીસીએ ભારત તરફથી ઘાયલ જવાનોની સંખ્યા 6 જણાવી છે. તે જ સમયે, ચીન તરફથી અથડામણ પર કંઈ કહેવામાં આવ્યું નથી.

ડોઇશ વેલ (જર્મની)
જર્મનીની પ્રખ્યાત વેબસાઇટ ડોઇશ વેલેએ એજન્સીઓ અને ભારતીય સેના પાસેથી મળેલી માહિતીને ટાંકીને એક અહેવાલ લખ્યો છે. વેબસાઈટ લખે છે કે 9 ડિસેમ્બરે વિવાદિત સરહદ પર બંને દેશોના સૈનિકો એકબીજા સાથે અથડાયા હતા. એએફપીને ટાંકીને લખ્યું કે ચીની સૈનિકો સરહદની ખૂબ નજીક આવી ગયા હતા. જે બાદ ભારતના સૈનિકોએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી.

ડોન (પાકિસ્તાન)
પાડોશી દેશ પાકિસ્તાનના પ્રખ્યાત અખબારે આ અથડામણ પાછળનું મુખ્ય કારણ ઔલીમાં અમેરિકા સાથેની સૈન્ય કવાયત હોવાનું જણાવ્યું છે. ડોને લખ્યું છે કે આ અથડામણ ભારત-અમેરિકા સૈન્ય અભ્યાસના થોડા દિવસો બાદ જ થઈ હતી. જેમાં બંને પક્ષના કેટલાક જવાનો ઘાયલ થયા હતા.












Click it and Unblock the Notifications
