પાકિસ્તાને સલમાન ખાનને આતંકવાદી જાહેર કર્યો, જાણો કેમ?
બોલીવુડ અભિનેતા સલમાન ખાન હાલમાં એક આંતરરાષ્ટ્રીય વિવાદનું કેન્દ્ર બન્યા છે. તાજેતરમાં સાઉદી અરેબિયામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે બલૂચિસ્તાનનો ઉલ્લેખ પાકિસ્તાનથી અલગ એક દેશ તરીકે કર્યો હતો. આ નિવેદન બાદ પાકિસ્તાન સરકારમને મરચા લાગ્યા છે.
શહેબાઝ સરકારે આ નિવેદનને ગંભીરતાથી લઈને સલમાન ખાનને આતંકવાદી જાહેર કર્યા છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી એક સત્તાવાર સૂચના મુજબ, સલમાન ખાનને એન્ટી-ટેરરિઝમ એક્ટ હેઠળ ફોર્થ શેડ્યૂલમાં શામેલ કરવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે તેમની સામે પાકિસ્તાનમાં કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

જો કે, સલમાન ખાન કે તેમના પ્રતિનિધિઓ તરફથી આ સંવેદનશીલ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
આ સંપૂર્ણ મામલો સલમાન ખાનના સાઉદી અરેબિયામાં આયોજિત 'જોય ફોરમ 2025'માં આપેલા ભાષણ સાથે સંબંધિત છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સલમાન એવું કહેતા સાંભળવા મળે છે કે, "આ બલૂચિસ્તાનના લોકો છે, અફઘાનિસ્તાનના લોકો છે, પાકિસ્તાનના લોકો છે, દરેક વ્યક્તિ સાઉદી અરેબિયામાં મહેનતથી કામ કરી રહ્યા છે.
આ નિવેદનમાં તેમણે બલૂચિસ્તાનનું નામ પાકિસ્તાનથી અલગ લીધું હતું. પાકિસ્તાન સરકારે તેને પોતાની સાર્વભૌમત્વ પર હુમલો ગણીને સખત વાંધો ઉઠાવ્યો. ગૃહ વિભાગે તેમને 'ફોર્થ શેડ્યૂલ'માં શામેલ કરીને આતંકવાદી જાહેર કર્યા છે, જેના કારણે પાકિસ્તાનમાં તેમની સામે કાયદેસરની કાર્યવાહીનો માર્ગ ખુલી ગયો છે.
'પાકિસ્તાનનું 'ફોર્થ શેડ્યૂલ' એન્ટી-ટેરરિઝમ એક્ટ હેઠળ બનાવવામાં આવેલી એક સૂચિ છે. તેમાં એવા વ્યક્તિઓના નામ શામેલ કરવામાં આવે છે જેમના પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવા અથવા તેમને સમર્થન આપવાનો શંકા હોય.
આ સૂચિમાં શામેલ કોઈપણ વ્યક્તિ પર પાકિસ્તાનમાં મુસાફરી પ્રતિબંધો લગાવી શકાય છે, તેની સંપત્તિ જપ્ત કરી શકાય છે, અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે. સલમાન ખાનને આ સૂચિમાં શામેલ કરવું એક અત્યંત ગંભીર પગલું છે, જે તેમના નિવેદનના આંતરરાષ્ટ્રીય રાજકીય પરિણામો દર્શાવે છે.
જોય ફોરમ 2025માં બોલતા સલમાન ખાનનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેમાં તેઓ વિવિધ દેશોના મહેનતુ લોકોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેમણે કહ્યું, "આ બલૂચિસ્તાનના લોકો છે, અફઘાનિસ્તાનના લોકો છે, પાકિસ્તાનના લોકો છે, દરેક વ્યક્તિ સાઉદી અરેબિયામાં મહેનતથી કામ કરી રહ્યા છે."
આ નિવેદનમાં 'બલૂચિસ્તાન'ને 'પાકિસ્તાન'થી અલગ જણાવવું એ જ વિવાદનું મુખ્ય કારણ બની ગયું. તે સ્પષ્ટ નથી કે સલમાને ઇરાદાપૂર્વક આવું કર્યું કે આ અજાણતા થયેલી ભૂલ હતી.
જ્યાં પાકિસ્તાન સરકાર આ નિવેદનથી નારાજ છે, ત્યાં બલૂચિસ્તાનની સ્વતંત્રતાની માંગ કરનારા અલગતાવાદી નેતાઓ આના પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. બલૂચિસ્તાનને સ્વતંત્ર દેશ બનાવવાની માંગ કરનારા નેતા મીર યાર બલૂચે સલમાન ખાનનો આભાર માનતા કહ્યું કે, સાઉદી અરેબિયામાં ભારતીય ફિલ્મ જગતના દિગ્ગજ સલમાન ખાન દ્વારા બલૂચિસ્તાનનો ઉલ્લેખ છ કરોડ બલૂચ નાગરિકો માટે ખુશી લઈને આવ્યો છે."
તેમણે આગળ કહ્યું કે સલમાને આવું કરીને સાંસ્કૃતિક માન્યતાના સંકેતો આપ્યા છે જે સૌમ્ય રાજદ્વારીનું શક્તિશાળી માધ્યમ છે, જે લોકોના દિલ જોડે છે અને દુનિયાને બલૂચિસ્તાનને અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા આપવા માટે પ્રેરિત કરે છે. આ નિવેદન દર્શાવે છે કે આ વિવાદ ફક્ત એક ફિલ્મ સ્ટારના નિવેદન પૂરતો સીમિત નથી, પરંતુ તેના ઊંડા ભૌગોલિક-રાજકીય અસરો પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
