Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ
Iran War Updates: ભારતમાં ઘેરાતા એલપીજી (LPG) સંકટ અને સિલિન્ડરોની અછત વચ્ચે દરિયાઈ સરહદેથી એક એવા સમાચાર આવ્યા છે, જે રાહતની સાથે આશ્ચર્ય પમાડે તેવા છે. છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વની સૌથી મહત્વપૂર્ણ જળસંધિ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) માં જહાજોની અવરજવર ઠપ થઈ ગઈ હતી, જે દરમિયાન હવે ભારતીય ગેસ ટેન્કરોને લઈને એક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. આ અપડેટ સીધી રીતે ભારતની રસોઈ ગેસ સપ્લાય ચેઈન સાથે જોડાયેલું છે.

શિપિંગ ડેટા અને સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ભારતના બે એલપીજી ટેન્કર 'પાઈન ગેસ' (Pine Gas) અને 'જગ વસંત' (Jag Vasant) હવે પોતાની યાત્રા ફરી શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. નોંધનીય છે કે, તેહરાન (Tehran) દ્વારા ખાડી દેશોમાંથી નીકળતા જહાજો પર હુમલાની ધમકી આપ્યા બાદ સેંકડો જહાજો થંભી ગયા હતા.
ભારતીય ટેન્કરોએ યાત્રા શરૂ કરવાના સંકેત આપ્યા
વિશ્વના કુલ તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)નો લગભગ 20% હિસ્સો આ જ રસ્તેથી પસાર થાય છે, જેના કારણે અહીં પેદા થયેલો તણાવ સીધી રીતે વૈશ્વિક ઉર્જા સંકટનું કારણ બની રહ્યો હતો. શિપ-ટ્રેકિંગ ડેટા (MarineTraffic) મુજબ, આ બંને ભારતીય ટેન્કરો સંયુક્ત આરબ અમીરાત (UAE) ના શારજાહ હબ પાસે ખાડીના પાણીમાં ઉભા હતા, જેમણે શુક્રવારે પોતાની યાત્રા શરૂ કરવાના સંકેત (Broadcast) આપ્યા છે.
ક્રૂડ ઓઈલના ટેન્કર હજુ પણ ઠપ?
રોઇટર્સ (Reuters) ના અહેવાલ મુજબ અને Kplerના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં આ જળમાર્ગ પરથી કોઈ પણ ક્રૂડ ઓઈલ ટેન્કરે મુસાફરી કરી નથી. એટલું જ નહીં, અમેરિકન પ્રતિબંધોનો સામનો કરી રહેલું એક ખાલી ક્રૂડ ઓઈલ ટેન્કર પણ 18 માર્ચે ઈરાની જળસીમા તરફ પાછું ફરતું જોવા મળ્યું હતું. પરંતુ આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતીય એલપીજી ટેન્કરોનું આગળ વધવું એ એક મહત્વપૂર્ણ સંકેત છે. વ્યાપારી સૂત્રોનું માનવું છે કે આ બંને ગેસ ટેન્કરો શનિવારે પોતાની યાત્રા પર નીકળી શકે છે.
જણાવી દઈએ કે 'જગ વસંત' ને ભારત પેટ્રોલિયમ (BPCL) અને 'પાઈન ગેસ' ને ઈન્ડિયન ઓઈલ (IOC) દ્વારા ચાર્ટર કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે પણ ઈરાને બે ભારતીય એલપીજી જહાજોને આ જળડમરુમધ્યમાંથી પસાર થવાની મંજૂરી આપી હતી, જે ભારત માટે મુત્સદ્દીગીરીની જીત સમાન છે.
વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રાલયની ચાંપતી નજર
ભારત સરકાર આ સમગ્ર મામલે અત્યંત ગંભીર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે ભારત ખાડીમાં રહેલા પોતાના 22 જહાજોના કાફલાની 'સુરક્ષિત અને અવિરત અવરજવર' ના પક્ષમાં છે. તેમણે એમ પણ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અન્ય વૈશ્વિક નેતાઓ સાથે આ જહાજોના સુરક્ષિત માર્ગ માટે ચર્ચા કરી રહ્યા છે. જોકે, કેન્દ્રીય શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાએ જણાવ્યું છે કે જહાજો રવાના થવાની તાત્કાલિક વિગતવાર માહિતી હજુ ઉપલબ્ધ નથી, પરંતુ સંકેતો સકારાત્મક છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
