આફ્રીકી દેશ સેશેલ્સમાં ગાંધીજી-નેલ્સન મંડેલાની પ્રતિમા તોડાઇ, ભારતીય મિશને કરી નિંદા
પૂર્વ આફ્રિકામાં સ્થિત 115 ટાપુઓના રાષ્ટ્ર સેશેલ્સમાં મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાની પ્રતિમાઓની તોડફોડ સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે અને ભારતીય મિશનએ પ્રતિમાઓની તોડફોડની સખત નિંદા કરી છે.
પૂર્વ આફ્રિકામાં સ્થિત 115 ટાપુઓના રાષ્ટ્ર સેશેલ્સમાં મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાની પ્રતિમાઓની તોડફોડ સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે અને ભારતીય મિશનએ પ્રતિમાઓની તોડફોડની સખત નિંદા કરી છે.

અહેવાલો અનુસાર, સેશેલ્સની રાજધાની વિક્ટોરિયાના પીસ પાર્કમાં મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાની પ્રતિમાઓની તોડફોડ કરવામાં આવી છે, જેની ભારતીય મિશન દ્વારા સખત નિંદા કરવામાં આવી છે. 6 જાન્યુઆરીના રોજ એક નિવેદનમાં, ભારતીય મિશનએ કહ્યું, "ભારતનું ઉચ્ચાયોગ વિક્ટોરિયાના પીસ પાર્કમાં મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાની પ્રતિમાઓની તોડફોડની નિંદા કરે છે."
ભારતીય મિશન અનુસાર, મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ જૂન 2022માં રાજધાની વિક્ટોરિયાના પીસ પાર્કમાં કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીની પ્રતિમા સેશેલ્સના સ્થાપક પ્રમુખ સર જેમ્સ મેચમ અને દક્ષિણ આફ્રિકાના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે સેવા આપનાર રંગભેદ વિરોધી ક્રાંતિકારી અને રાજકારણી નેલ્સન મંડેલાની બાજુમાં મૂકવામાં આવી હતી.
High Commission condemns the mindless act of vandalism of the statues of Mahatma Gandhi & Nelson Mandela located at the Peace Park in Victoria. High Commission thanks the Seychelles authorities for their action in the matter: High Commission of India in Victoria, Seychelles pic.twitter.com/7brsstmd2c
— ANI (@ANI) January 7, 2023
ભારતીય મિશનએ કહ્યું કે મહાત્મા ગાંધીનો માનવતા અને સંસ્થાનવાદ સામે શાંતિપૂર્ણ સંઘર્ષનો સંદેશ સાર્વત્રિક રીતે પ્રાસંગિક છે અને તેણે સમગ્ર વિશ્વમાં અહિંસક સંઘર્ષને પ્રેરણા આપી છે. ભારતીય મિશનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પીસ પાર્ક ખાતેની તેમની પ્રતિમા ભારત અને સેશેલ્સ વચ્ચેના ઐતિહાસિક અને સૌહાર્દપૂર્ણ સંબંધોનું પણ પ્રતીક છે." આ સાથે, ભારતીય હાઈ કમિશને સેશેલ્સના અધિકારીઓને તેમની કાર્યવાહી માટે આભાર માન્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે ગુનેગારો જલ્દીથી પકડાઈ જશે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ વિશ્વના ઘણા ભાગોમાં બાપુની પ્રતિમાને તોડફોડની ઘટનાઓ સામે આવી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ન્યુયોર્ક શહેરમાં 6 લોકોએ મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરી હતી. અગાઉ ફેબ્રુઆરી 2022માં મેનહટન નજીક યુનિયન સ્ક્વેર ખાતે ગાંધીજીની આજીવન પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. ભારતીય મિશન દ્વારા આ બંને ઘટનાઓની સખત નિંદા કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
