ભારતીય નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા પર મોટી અપડેટ, કતાર કોર્ટે મંજૂર કરી ભારતની અપીલ
Qatar Court Indian Navy: ગયા મહિને કતારમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવેલા ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ જવાનો માટે કતારની અદાલતે ભારતની અરજી સ્વીકારી લીધી છે. ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારીઓને આપવામાં આવેલી ફાંસીની સજા સામે ભારતે અપીલ દાખલ કરી હતી, જેને સ્વીકારીને કતાર કોર્ટે તે આઠ અધિકારીઓને મોટી રાહત આપી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અપીલ વ્યક્તિગત ક્ષમતામાં કરવામાં આવી હતી પરંતુ ભારતે આમાં મદદ કરી છે. તમને જણાવી દઈએ કે ભારતીય નેવીના આ આઠ પૂર્વ અધિકારીઓ કતારમાં ઈઝરાયલ માટે જાસૂસી કરવાનો આરોપ છે અને ગયા મહિને તેમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.

આ તમામ અધિકારીઓ કતારની અલ-દાહિરી કંપનીમાં વરિષ્ઠ સ્તરે કામ કરતા હતા. 26 ઓક્ટોબરે કતારની પ્રથમ અદાલતે આઠ ભારતીયોને મૃત્યુદંડની સજા ફટકારી હતી. જેને ભારતે ચોંકાવનારો નિર્ણય ગણાવ્યો હતો અને આ મામલે તમામ કાયદાકીય વિકલ્પો શોધવાની વાત કરી હતી. થોડા દિવસો પછી, મૃત્યુદંડની સજા સામે અપીલ દાખલ કરવામાં આવી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારત આ મામલે કતારના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યું છે અને સરકાર ભારતીય નાગરિકોને તમામ કાયદાકીય અને કૉન્સ્યુલર સહાય પૂરી પાડતી રહેશે.
નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓને આપવામાં આવેલી સજા અને સમગ્ર કાયદાકીય પ્રક્રિયાને કતાર દ્વારા ગુપ્ત રાખવામાં આવી છે. કતાર સત્તાવાળાઓ કે નવી દિલ્હીએ ભારતીય નાગરિકો સામેના આરોપો જાહેર કર્યા નથી. કતાર કોર્ટના નિર્ણય પર તેની પ્રતિક્રિયામાં, ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ ગયા મહિને કહ્યું હતું કે તે આ કેસને "ઉચ્ચ મહત્વ" આપી રહ્યું છે અને તમામ કાયદાકીય વિકલ્પોની શોધ કરી રહ્યું છે.
25 માર્ચે, આઠ ભારતીય નૌકાદળના નિવૃત્ત સૈનિકો સામે આરોપો દાખલ કરવામાં આવ્યા હતા અને કતારના કાયદા હેઠળ તેમની સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓએ કહ્યું હતું કે તમામ ભૂતપૂર્વ નૌકાદળના અધિકારીઓનો ભારતીય નૌકાદળમાં 20 વર્ષ સુધીનો "દોષરહિત કાર્યકાળ" હતો અને તેઓએ નૌકાદળમાં ટ્રેનર સહિત મહત્વના હોદ્દાઓ પર સેવા આપી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
