મોરબી: દલિત પર વધ્યા અત્યાચાર, પગારના બદલામાં મળ્યો માર, મહિલા બોસે ચટાવ્યા ચંપલ
Morbi: મોરબી શહેરમાં 21 વર્ષીય દલિત યુવક જ્યારે તેની મહિલા બોસ પાસે પગારની માંગણી કરતો હતો, ત્યારે તે શોષણનો શિકાર બન્યો હતો. પોલીસે એક કંપનીમાં કામ કરતા 21 વર્ષીય દલિત વ્યક્તિ પર કથિત રીતે હુમલો કરવા અને તેને માફી માંગવા દબાણ કરવા બદલ એક વેપારી મહિલા અને ઓછામાં ઓછા છ અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે યુવકે પગાર માંગ્યો તો તેને ચંપલ ચાટવા માટે દબાણ કરી મોઢામાં ચંપલ ઠુસી દેવામાં આવ્યું હતું. આ ઘટના બુધવારના રોજ બની હતી.

યુવક જ્યારે 16 દિવસનો પગાર માંગવા ફેક્ટરી પર પહોંચ્યો, ત્યારે વિભૂતિ સીતાપરા ઉર્ફે રાણીબા, તેના ભાઈ ઓમ પટેલ, રાજ પટેલ, ડીડી રબારી અને અન્ય ચાર યુવકોએ મળીને તેને બેલ્ટ વડે માર માર્યો હતો અને રાણીબાએ તેના સેન્ડલ ચટાડીને માફી મંગાવી હતી.
આરોપીઓએ આ ઘટનાનો વીડિયો બનાવીને ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ કરીને પીડિતાને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતા નિલેશે આ અંગે રાજકોટ પોલીસમાં ફરિયાદ કરી હતી, ત્યારબાદ રાણીબા, તેના ભાઈ અને અન્ય 6 લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પીડિત નિલેશ દલસાણિયાએ ફરિયાદ નોંધાવી હતી. નાયબ પોલીસ અધિક્ષક (SC/ST સેલ) પ્રતિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે, મોરબી શહેરની A ડિવિઝન પોલીસે ગુરુવારના રોજ મેનેજર સહિત વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, તેના ભાઈ ઓમ પટેલ અને અન્યો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો હતો.
વિભૂતિ પટેલ રાણીબા ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડના માલિક છે, જેની ઓફિસ રવાપર ઈન્ટરસેક્શન પર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં છે. એફઆઈઆરમાં જણાવાયું છે કે, ઓક્ટોબરની શરૂઆતમાં તેણે ટાઈલ્સ માર્કેટર દલસાનિયાને 12,000 રૂપિયાના માસિક પગાર પર નોકરી પર રાખ્યો હતો.
ગુજરાતમાં દલિતો પર અત્યાચાર વધ્યાઃ મેવાણી - ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીએ જણાવ્યું છે કે, દેશમાં દલિતો પરના અત્યાચાર માટે દોષિત ઠરવાનો દર 36 ટકા છે, પરંતુ ગુજરાતમાં એટ્રોસિટીના કેસમાં દોષિત ઠરવાનો દર 5 ટકા છે, તેથી રાજ્યમાં વર્ચસ્વ ધરાવતી જાતિના લોકોને છુટ મળી છે. જ્યારે ગુજરાતના નાગરિકે પોતાનો પગાર માંગ્યો હતો, ત્યારે તેનું આ રીતે અપમાન કરવું એ માનવતા વિરુદ્ધનો ગુનો છે. રાજ્ય સરકાર દલિતો પ્રત્યે સંવેદનશીલ નથી. જો તેનો ઈરાદો ખરાબ ન હોય, તો 6 મહિનામાં ટ્રાયલ પૂર્ણ થવી જોઈએ અને આરોપીને જલ્દી જેલમાં મોકલવો જોઈએ.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
