કુંભ મેળા માટે યોગી સરકાર 25 કરોડની લક્ઝરી કારો ખરીદશે
પ્રયાગરાજમાં આવતા વર્ષે કુંભ મેળા માટે યોગી સરકાર પુરી તૈયારીમાં જોડાઈ ચુકી છે. પ્રયાગરાજમાં સંગમ તટ પર એક નવા શહેરને વસાવવાની તૈયારી તેઝ થઇ ચુકી છે.
પ્રયાગરાજમાં આવતા વર્ષે કુંભ મેળા માટે યોગી સરકાર પુરી તૈયારીમાં જોડાઈ ચુકી છે. પ્રયાગરાજમાં સંગમ તટ પર એક નવા શહેરને વસાવવાની તૈયારી તેઝ થઇ ચુકી છે. આ મેળામાં દેશ અને દુનિયાથી કરોડો લોકો આવશે, જેમના માટે દરેક પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે. અહીં વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનો પણ આવશે. તેમના માટે યોગી સરકાર ખાસ વ્યવસ્થા કરી રહી છે. વીવીઆઈપી મહેમાનોને કુંભ મેળામાં લઇ જવા માટે પ્રદેશ સરકારે કરોડો રૂપિયાની લક્ઝરી કારો ખરીદવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને કેબિનેટમાં પાસ કરી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ધર્મ કે રાજનીતિ: પીએમ મોદી વર્ષ 2019 કુંભ પર સીધી નજર રાખશે

જૂની ગાડીઓને બદલે નવી ગાડીઓ ખરીદવામાં આવશે
યોગી સરકારે 10 કેબિનેટ પ્રસ્તાવ પાસ કર્યા, જેમાં કેટલાક જુના વાહનોને બદલે નવા વાહનો ખરીદવામાં આવશે. જયારે કેટલાક વાહનો કુંભ મેળાની સુરક્ષાને ધ્યાનમાં લઈને ખરીદવામાં આવશે. સરકારના પ્રવક્તા સિદ્ધાર્થ નાથ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે વાહન ચાલુ સ્થિતિ નથી, તેમને બદલે 17 વાહનો ખરીદવામાં આવશે. જેમાં 5 ઇનોવા-ક્રિસ્ટીયા, 5 સ્કોર્પિઓ અને 7 હોન્ડા સીટી કારો શામિલ છે. આ કારોની કુલ કિંમત લગભગ 2.46 કરોડ રૂપિયા છે.

ઘણા લક્ઝરી વાહનો ખરીદવામાં આવશે
સિદ્ધાર્થ નાથ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2019 દરમિયાન થવા જઈ રહેલા કુંભ મેળામાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા ગોરખપુર અને ગાઝિયાબાદમાં વીવીઆઈપી માટે 16 વાહનો ખરીદવામાં આવશે. જેમાં ચાર સ્કોર્પિઓ એએસ, બે ઝેમર મુકત વાહન, ટ્રેન બુલેટપ્રુફ સફારી, સાત ટાટા સફારી સ્ટોર્મ ખરીદવામાં આવશે. જેની કુલ કિંમત 6.3 કરોડ રૂપિયા છે. આ કુલ 16 વાહનોની વધારે ખરીદી કરવામાં આવશે, જેની કુલ કિંમત 16.52 કરોડ રૂપિયા છે.

25 કરોડના વાહનો
આ બધા જ વાહનો જેને યોગી સરકાર ખરીદવા જઈ રહ્યા છે, તેની કુલ કિંમત 25 કરોડ રૂપિયા છે. હવે જો દરેક વાહનની એવરેજ કિંમત કાઢવામાં આવે તો તેની કિંમત 22.32 લાખ રૂપિયા છે. આપને જણાવી દઈએ કે આવનારા વર્ષમાં જાન્યુઆરી મહિનામાં પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે કુમ્ભ મેળામાં આવતા દરેક લોકોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. રેલવે ઘ્વારા પણ બહારથી આવતા લોકો માટે સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનું એલાન કરવામાં આવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
