Wayanad landslide : વાયનાડના પીડિતોની મદદે કર્ણાટક સરકાર, 100 ઘર બનાવવાની જાહેરાત
Wayanad landslide : વાયનાડમાં ભારે વરસાદ બાદ લેન્ડસ્લાઈડમાં 350 થી વધુ લોકોના જીવ ગયા છે અને 250 જેટલા લોકો લાપત્તા છે. હવે વાયનાડના પીડિતોની મદદે કર્ણાટક સરકાર આવી છે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શનિવારે જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર વાયનાડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત લોકો માટે 100 ઘરો બનાવશે.

આ પહેલને લોકસભાના વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તરફથી આભાર માનવામાં આવ્યો છે, જેમણે Instagram પર તેમની પ્રશંસા વ્યક્ત કરી.
સિદ્ધારમૈયાની જાહેરાતના જવાબમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આભાર વ્યક્ત કર્યો. પ્રિયંકાએ લખ્યુ કે, હું કરુણા અને માનવતા માટે સીએમ સિદ્ધારમૈયા અને કર્ણાટકના લોકોનો આભાર માનું છું. આ જાહેરાત સૌપ્રથમ સિદ્ધારમૈયા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવી, જ્યાં તેમણે કહ્યું હતું કે, વાયનાડમાં દુ:ખદ ભૂસ્ખલનને પગલે કર્ણાટક કેરળ સાથે ઊભું છે.
સિદ્ધારમૈયાએ X પર લખ્યું કે તેઓ કર્ણાટક વતી કેરળને સમર્થન આપવાનું આશ્વાસન આપે છે. આ સાથે પીડિતો માટે 100 ઘર બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી. સિદ્ધારમૈયાએ કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયનને કહ્યું કે, સાથે મળીને અમે પુનઃનિર્માણ કરીશું અને ઉમ્મીદ જગાડીશુ. વાયનાડમાં ભૂસ્ખલનને કારણે વ્યાપક નુકસાન થયું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
