UP News: ખેડૂતોની યોજનાઓને મંજૂરી મળતા સીએમ યોગીએ કહ્યુ - ખુશહાલ ખેડૂત જ નવા ભારતની ઓળખ
UP News: કેન્દ્ર સરકારના ખેડૂતોની આવક વધારવા માટે લેવાયેલા ઘણા મોટા નિર્ણયો હેઠળ શેરડીના ખેડૂતો માટે અત્યાર સુધીના મહત્તમ એફઆરપીને સ્વીકૃતિ આપી દેવામાં આવી છે.
સરકારે 2023-24 સિઝન માટે શેરડીના યોગ્ય અને લાભકારી મૂલ્ય એટલે કે એફઆરપી(FRP)ને 10 રુપિયા પ્રતિ ક્વિંટલ વધારીને 315 રુપિયા પ્રતિ ક્વિંટલ કરી દેવામાં આવ્યુ છે.

આ ઉપરાંત સરકારે 3.68 લાખ કરોડ રૂપિયાના પેકેજ સાથે સલ્ફર કોટેડ યુરિયા સબસિડી સ્કીમને ત્રણ વર્ષ સુધી લંબાવી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેન્દ્ર સરકારના આ પગલાનું સ્વાગત કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે આનાથી ખેડૂતોની સ્થિતિમાં સુધારો થશે.
મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, 'આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટે શેરડીના ખેડૂતો માટે ખાંડની સિઝન 2023-24 માટે શેરડીની અત્યાર સુધીની સૌથી વધુ વાજબી અને લાભકારી કિંમત (FRP) ₹315 પ્રતિ ક્વિન્ટલ મંજૂર કરી છે. આમ કરવું પ્રશંસનીય છે. આ નિર્ણય શેરડીના ખેડૂતોની આત્મનિર્ભરતાથી સમૃદ્ધિ તરફની સફરને નવા આયામો આપશે. આજે ખુશહાલ ખેડૂતો નવા ભારતની ઓળખ છે. વડા પ્રધાનનો આભાર.'
સીએમ યોગી આદિત્યનાથે અન્ય એક ટ્વિટમાં કહ્યું, 'આજે આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ખેડૂતોના કલ્યાણ માટે સંકલ્પબદ્ધ, કેન્દ્રીય કેબિનેટે કુલ ₹3,70,128.7 કરોડના ખર્ચ સાથે ખેડૂતો માટે નવીન યોજનાઓના વિશેષ પેકેજને મંજૂરી આપી. આ વિશેષ પેકેજ અન્નદાતા ખેડૂતોની સમૃદ્ધિ, પ્રજનનક્ષમતા, પોષણ અને ધરતી માતાની ઉત્પાદકતા તેમજ ખાદ્ય સુરક્ષા અને પર્યાવરણીય સ્થિરતાને સુનિશ્ચિત કરવામાં મદદરૂપ સાબિત થશે. આ નિર્ણય માટે વડાપ્રધાનનો આભાર.'












Click it and Unblock the Notifications
