UP News: લખનઉમાં વધ્યા ડેંગ્યુના કેસ, આરોગ્ય વિભાગની ટીમો તૈનાત, યોગી સરકાર એલર્ટ
Dengue Cases Reported in Lucknow: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી રહી છે. જો કે, સરકારી સ્તરે વરિષ્ઠ સરકારી અધિકારીઓ આ અંગે સંપૂર્ણ રીતે સજાગ બન્યા છે અને સરકારે તમામ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી છે.
અધિકારીઓની વાત માનીએ તો લખનઉમાં ડેન્ગ્યુના 18 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી 10 કેસ ચંદ્રનગર વિસ્તારના છે. આરોગ્ય વિભાગે બિનજરૂરી વસ્તુઓ દૂર કરવા અને મચ્છરદાનીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ વર્ષે એક જ દિવસમાં ડેન્ગ્યુના તાજા કેસોની આ સૌથી વધુ સંખ્યા છે.

આરોગ્ય વિભાગે એક એડવાઈઝરી જાહેર કરીને લોકોને ટેરેસ અને બાલ્કનીઓમાંથી બિનઉપયોગી વસ્તુઓને દૂર કરવા, જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે કુલરની ટાંકીમાંથી પાણી કાઢી નાખવા અને સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવા જણાવ્યું છે. લખનૌના જિલ્લા આરોગ્ય શિક્ષણ અધિકારી યોગેશ રઘુવંશીએ જણાવ્યું હતું કે, "બે કેસ એનકે રોડના, ત્રણ ઈન્દિરા નગરના અને ત્રણ અલીગંજના છે."
ઇન્ટરનેશનલ ડૉક્ટર્સ એસોસિએશનના સેક્રેટરી જનરલ ડૉ. અભિષેક શુક્લાએ જણાવ્યું હતું કે 1 સપ્ટેમ્બર અને 2 સપ્ટેમ્બરના રોજ 15 નવા કેસ નોંધાયા હતા. પાછલા વર્ષોમાં, સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં ડેન્ગ્યુના કેસોની ટોચ જોવા મળી છે, તેથી લોકોએ ઓફિસો, ઘરો અને આસપાસના વિસ્તારોમાં મચ્છરોની ઉત્પત્તિના સ્ત્રોતને દૂર કરવાની ખાતરી કરવી જોઈએ.
લખનઉના ચીફ મેડિકલ ઓફિસર ડૉ.મનોજ અગ્રવાલે જણાવ્યું હતું, 'લખનઉમાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ અંગે આરોગ્ય વિભાગની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. જો કે, લોકોને સવારે અથવા સાંજના સમયે ચાલતી વખતે પણ તેમના આખા શરીરને ઢાંકવાની સલાહ આપવામાં આવે છે.'












Click it and Unblock the Notifications
