ગોવાના ટૂરિઝમ મંત્રીએ કહ્યું; 'પબ કલ્ચર' પ્રતિબંધ લાગવો જોઇએ

shripad-naik
પણજી, 13 જુલાઇ: કેન્દ્રિય સાંસ્કૃતિક અને પર્યટન રાજ્ય મંત્રી શ્રીપદ નાઇકે પબ કલ્ચર ખતમ કરનાર નિવેદન પર રાજકારણ ગરમાયું છે. ગોવા સાથે સંબંધ ધરાવનાર કેન્દ્રિય મંત્રી નાઇકે કહ્યું હતું કે રાજ્યમાં પબ કલ્ચર પર લગાવ લાગવી જોઇએ. તેમણે કહ્યું હતું કે પબોમાં કોઇ અનાવશ્યક વસ્તુઓ થઇ રહી છે, જે ન થવી જોઇએ. આ 'પબ કલ્ચર'ને ટૂરિઝમનો મુખ્ય બિંદુ ન હોવો જોઇએ.

શ્રીપદ નાઇકે કહ્યું કે આપણે તે વાત નક્કી કરવી પડશે કે આપણી સંસ્કૃતિ માટે શું સારું છે. શ્રીપદ નાઇકે કહ્યું કે પબ કલ્ચરને પ્રોત્સાહન દેશહિતમાં નથી. તે ગોવાના પરિવહન મંત્રી સુદીન ધવલીકરના નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યાં હતા. ધવલીકરે કહ્યું હતું કે ગોવામાં મહિલાઓનું શોર્ટ સ્કર્ટ પહેરીને પબમાં જવું અને બીચ પર બિકની પહેરવા પર પ્રતિબંધ લાદવો જોઇએ. જો કે શ્રીપદ નાઇકે કહ્યું કે ધવલીકરે જે કંઇપણ કહ્યું કે તે તેમના વિચાર છે.

કેન્દ્રિય મંત્રીના આ નિવેદન પર રાજકિય દળોએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે ભાજપ સંસ્કૃતિના નામ પર લોકો પર પોતાની વિચારસણી થોપવા ઇચ્છે છે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે લોકો મનોરંજન માટે જ્યાં જવા માંગે તે તેમની વ્યક્તિગત આઝાદી છે. જો કે તેમણે દારૂના વિરૂદ્ધ સમજી વિચારીને કાયદો બનાવવાની વકાલત કરી. એનસીપીએ કહ્યું કે સંસ્કૃતિ હાંકીને શિખવાડવામાં આવતી નથી, આ લોકોની ચોઇસનો મુદ્દો છે. આ મુદ્દે ભાજપનું કહેવું છે કે આ ત્યાંના લોકો નક્કી કરે કે શું કરવું યોગ્ય હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X