બ્રિટનની સંસદમાં ઉઠ્યો ખેડૂત આંદોલનનો મુદ્દો, જાણો શું કહ્યુ બ્રિટનની સરકારે?
ભારતમાં 100 દિવસથી ચાલી રહેલ ખેડૂત આંદોલનનો મુદ્દો બ્રિટનની સંસદમાં ઉઠાવવામાં આવ્યો.
લંડનઃ ભારતમાં 100 દિવસથી ચાલી રહેલ ખેડૂત આંદોલનનો મુદ્દો બ્રિટનની સંસદમાં ઉઠાવવામાં આવ્યો. ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ નવા કૃષિ કાયદા સામે ચાલી રહેલ ખેડૂત આંદોલન પર ચર્ચા બ્રિટનની સંસદમાં થઈ. આ ચર્ચા દરમિયાન બ્રિટિશ સરકારે કહ્યુ કે ખેડૂત અને કૃષિ સુધાર ભારતનો આંતરિક મામલો છે. આપણે ભારતના ઘરેલુ મામલામાં દખલ ન દેવી જોઈએ. મંત્રી નિગેલ એડમ્સે કહ્યુ કે બ્રિટનના મંત્રી અને અધિકારી ભારતીય સમકક્ષોથી ખેડૂત આંદોલન પર સતત વાત કરે છે. અમને આશા છે કે ભારતની સરકાર ખેડૂતો સાથે વાતચીત કરીને આ મુદ્દાનો જલ્દી કોઈ ઉકેલ લાવશે. વિરોધ પ્રદર્શનમાં શામેલ ખેડૂતોની સુરક્ષા અને પ્રેસની સ્વતંત્રતા માટે ભારતની મોદી સરકાર પર દબાણ બનાવવાની બ્રિટનની સંસદમાં કરવામાં આવેલી અરજી બાદ આ ચર્ચા થઈ.

ભારતની નરેન્દ્ર મોદી સરકાર પર દબાણ બનાવવા માટે બ્રિટનની સંસદમાં કરવામાં આવેલી અરજી પર એક લાખથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા હતા. ભારતના ખેડૂત આંદોલન પર લંડનના પોર્ટકુલિસ હાઉસમાં 90 મિનિટ સુધી ચર્ચા ચાલી. ચર્ચા દરમિયાન કંઝર્વેટીવ પાર્ટીના થેરેસા વિલિયર્સે કહ્યુ કે કૃષિ ભારતનો આંતરિક મામલો છે માટે ભારતના કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન પર કોઈ પણ વિદેશી સંસદમાં ચર્ચા ન કરી શકાય. આ ચર્ચામાં જવાબ આપવા માટે મંત્રી નિગેલ એડમ્સને પ્રતિનિયુક્ત કરવામાં આવ્યા હતા.
બ્રિટનના મંત્રી નિગેલ એડમ્સે લોકોના સવાલોના જવાબ આપીને કહ્યુ, 'કૃષિ સુધાર ભારત આંતરિક અને ઘરેલુ મુદ્દો છે. જો કે અમારા પ્રતિનિધિ ભારત સરકાર સાથે સતત આ મુદ્દા વિશે વાત કરી રહ્યા છે. આશા છે કે જલ્દી કોઈ ઉકેલ આવશે.' બ્રિટનના રાજ્યમંત્રી નિગેલ એડમ્સે ભારતમાં શાંતિપૂર્ણ વિરોધ અને પ્રેસ સ્વતંત્રતાના મુદ્દે સંસદમાં કહ્યુ, 'યુકે સરકારનુ દ્રઢતાથી માનવુ છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ વિરોધનો અધિકાર કોઈ પણ લોકતંત્ર માટે મહત્વપૂર્ણ છે પરંતુ અમે એ પણ સ્વીકારીએ છીએ કે જો કોઈ વિરોધ કાયદાની રેખાને પાર કરે તો સુરક્ષાબળ લોકતંત્રને કાયદો અને વ્યવસ્થા લાગુ કરવાનો અધિકાર છે.'
મંત્રીએ એ પણ કહ્યુ કે ભારત સરકાર અને ખેડૂત સંઘો વચ્ચે ચાલી રહેલ વાતચીતના સકારાત્મક પરિણામ હશે. બ્રિટિશ સંસદીય સંમેલન અનુસાર યુકે સરકાર અને સંસદની વેબસાઈટ પર 10,000 હસ્તાક્ષરવાળી અરજીઓને સરકાર તરફથી પ્રતિક્રિયા મળે છે અને જે અરજીઓ પર 100,000 હસ્તાક્ષર મળે તેના પર લગભગ હંમેશા ચર્ચા થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
