કેજરીવાલ સરકારે સીમાપુરીના લોકોને આપી મોહલ્લા ક્લિનિકની ગિફ્ટ
સરકારે સીમાપુરી, નવી સીમાપુરી અને સુંદર નગરીના લોકોને બે વોર્ડમાં નવા મોહલ્લા ક્લિનિક્સની ભેટ આપી છે.
નવી દિલ્લીઃ દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકાર સ્વાસ્થ્ય વ્યવસ્થાને સુધારવા પર સતત ધ્યાન આપી રહી છે. આ કડીમાં સરકારે સીમાપુરી, નવી સીમાપુરી અને સુંદર નગરીના લોકોને બે વોર્ડમાં નવા મોહલ્લા ક્લિનિક્સની ભેટ આપી છે. આ મોહલ્લા ક્લિનિક્સમાં દિલ્લીવાસીઓને મફત પ્રાથમિક આરોગ્ય સંભાળનો લાભ મળશે.

સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે નવી સીમાપુરીની સુંદર નગરીમાં મોહલ્લા ક્લિનિકનુ ઉદ્ઘાટન કર્યુ અને તેને જનતાને સમર્પિત કર્યુ. બીજી તરફ સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યુ કે અહીં મોહલ્લા ક્લિનિકની સ્થાપનાથી વિસ્તારના તમામ લોકોને વધુ સારી સુવિધા મળશે. તેમણે કેજરીવાલ સરકાર દ્વારા દિલ્લીની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવા પર ખુશી વ્યક્ત કરી હતી.
રાજેન્દ્ર પાલ ગૌતમે સીમાપુરીમાં મોહલ્લા ક્લિનિકની વ્યવસ્થા વિશે પૂછપરછ કરી. ત્યાં આવતા દર્દીઓની સંખ્યા પણ તપાસવામાં આવી હતી. તેમણે જોયુ કે મોહલ્લા ક્લિનિકમાં આવતા દર્દીઓ માત્ર દિલ્હીના જ નથી પરંતુ પડોશી ઉત્તર પ્રદેશના દર્દીઓ પણ આવીને તેમની સારવાર કરાવી રહ્યા છે. રાજેન્દ્ર પાલ ગૌતમે ઉત્તર પ્રદેશથી સારવાર માટે આવેલા દર્દી સાથે વાતચીત કરી હતી.
તેમણે કહ્યુ કે આ દર્શાવે છે કે મોહલ્લા ક્લિનિક્સ (કેજરીવાલ સરકાર) ખોલવાથી માત્ર દિલ્લીના લોકોને જ નહિ પરંતુ દિલ્લીમાં રહેતા સમગ્ર દેશને મફત સારવાર મળી રહી છે. કેબિનેટ મંત્રીએ કહ્યુ કે ગીચ વિસ્તાર હોવાથી સીમાપુરીમાં વધુ ભીડ જોવા મળશે. તેમણે લોકોને લાઈનમાં ઉભા રહીને પોતાની સારવાર કરાવવાની પણ અપીલ કરી હતી. વળી, તેમણે મોહલ્લા ક્લિનિકમાં હાજર ડૉકટરો અને સ્ટાફને હાર પહેરાવીને આવકાર્યા.












Click it and Unblock the Notifications
