અયોધ્યા રામ મંદિરની આસપાસ નહિ કરી શકાય કોઈ પણ બાંધકામ!
અયોધ્યામાં ભગવાન રામના મંદિર આસપાસ બહુમાળી ઇમારતો બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિરની આસપાસના 300 મીટર સુધીના વિસ્તારમાં ઇમારતના બાંધકામ માટે જિલ્લા અધિકારી પાસેથી NOC લેવી પડશે.
અયોધ્યામાં ભગવાન રામના મંદિર આસપાસ બહુમાળી ઇમારતો બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિરની આસપાસના 300 મીટર સુધીના વિસ્તારમાં ઇમારતના બાંધકામ માટે જિલ્લા અધિકારી પાસેથી NOC લેવી પડશે. રામ મંદિરની સુરક્ષાને લઈને સુરક્ષા સમિતિની વિનંતી પર આ યોજનાનો અમલ કરાશે. તેના અમલ માટે એક સમિતિની પણ રચના કરી છે.

મંદિર વિકાસ ઑથૉરિટીના સેક્રેટરી આર.પી.સિંહે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, રામ મંદિર સંકુલને સુરક્ષિત રાખવા વહીવટી તંત્ર દ્વારા રામ જન્મભૂમિ આજુબાજુના વિસ્તાર માટે કેટલાક પ્રતિબંધિત આદેશો લાગુ કરવાની વિનંતી કરાઈ છે. સમિતિમાં સુરક્ષા વિભાગ, ફરિયાદી વિભાગ અને શહેરની કચેરીના એક અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રામ જન્મભૂમિ સંકુલથી 100 મીટરના અંતર સુધીના ધોરણ મુજબ કોઈ નવું બાંધકામ થઈ શકશે નહીં. નિર્માણ થઈ ચૂકેલા મકાનોના બ્યુટિફિકેશનનું કામ થઈ શકશે. પરંતુ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની મંજુરી લેવી પડશે. 300 મીટરના ક્ષેત્રમાં સાડાબાર મીટરથી વધુ ઊંચી ઇમારત બાંધી શકાશે નહિ. મકાન બનાવતાં પહેલાં નકશો વિકાસ અધિકારી પાસેથી પાસ કરાવવો પડશે અને NOC મેળવવી પડશે. લાંબા વિવાદ બાદ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે સુરક્ષાને લઈને તંત્ર ખુબજ કાળજી લે તે સ્વભાવિક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
