જયલલિતાના નિધનના સમાચાર સાંભળીને આઘાતમાં અત્યાર સુધીમાં 77 લોકોના મોત
એઆઇએડીએમકે તરફથી કહેવામાં આવ્યુ છે કે જયલલિતાના નિધનના સમાચાર સાંભળીને અત્યાર સુધીમાં 77 લોકોના મોત થયા છે. તેમના મોત જયલલિનાના મોતના સમાચાર સાંભળ્યા બાદ આઘાતને કારણે થયા છે...
તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું સોમવારે લાંબી માંદગી બાદ નિધન થયુ હતુ. તેમની અંતિમ સંસ્કાર વિધિ પણ કરી દેવામાં આવી છે. પરંતુ જયલલિતાના નિધન બાદ સમગ્ર તમિલનાડુમાં હજુ પણ શોકનો માહોલ છે. બુધવારે એઆઇએડીએમકે તરફથી કહેવામાં આવ્યુ છે કે જયલલિતાના નિધનના સમાચાર સાંભળ્યા બાદ અત્યાર સુધીમાં 77 લોકોના મોત નીપજ્યા છે. તેમના મોત જયલલિતાના નિધનના સમાચાર સાંભળ્યા બાદ આઘાતને કારણે થયા છે.

એઆઇએડીએમકેએ મૃતકોના પરિવારો માટે 3 લાખ રુપિયાના વળતરની ઘોષણા કરી છે. તમને જણાવી દઇએ કે આ પહેલા જ્યારે જયલલિતાને આવકથી વધુ સંપત્તિના મામલે સજા થવાથી જેલમાં જવુ પડ્યુ હતુ ત્યારે કથિત રીતે દુખી થઇને તેમના ઘણા સમર્થકોએ પોતાનો જીવ આપી દીધો હતો.
એઆઇએડીએમકેએ દુખ અને આઘાતને કારણે થયેલ મૃતકોનો આંકડો તો જારી કર્યો છે પરંતુ એ નથી જણાવ્યુ કે આમાં પુરુષો અને મહિલાઓની સંખ્યા કેટલી છે અને આ લોકો પ્રદેશમાં ક્યાંના રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે જયલલિતા છેલ્લા 77 દિવસોથી હોસ્પિટલમાં ભરતી હતા. ગયા રવિવારે સાંજે તેમને કાર્ડિયાક એરેસ્ટ થયો. ત્યારબાદ સોમવારે રાત્રે 11.30 કલાકે તેમનું નિધન થઇ ગયુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
