Tahawwur Rana : મુંબઈ હુમલાના ગુનેગારને ભારત લવાશે, અમેરિકન કોર્ટે મંજુરી આપી
Mumbai attack 26/11 : 2008 મુંબઈ હુમલા કેસમાં ભારત સરકારને મોટી સફળતા મળી છે. અમેરિકન કોર્ટે આ કેસના ગુનેગારને ભારત લાવવાની મંજુરી આપી દીધી છે.
અમેરિકન કોર્ટની મંજુરી બાદ મુંબઈ તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થયો છે. તેને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે.

હાલમાં જ અમેરિકાની સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. કોર્ટે તેમની સજા સામેની સમીક્ષા અરજી પણ ફગાવી દીધી છે.
જણાવી દઈએ કે, તહવ્વુર રાણા પર ભારતમાં 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન ઉદ્યોગપતિ છે. ભારત લાંબા સમયથી પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું હતું.
તહવ્વુર રાણા 2008ના મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં મોસ્ટ વોન્ટેડ છે. નીચલી અદાલતોમાં કાનૂની લડાઈ હાર્યા બાદ તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ સામે યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી કર્યાના અઠવાડિયા પછી આ આ આદેશ આવ્યો છે.
ગઈ 13 નવેમ્બરે તહવ્વુર રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. રાણાને ભારત પ્રત્યાર્પણ ન કરાવવાની આ છેલ્લી કાનૂની તક હતી.
૧૬ ડિસેમ્બરના રોજ, યુએસ સોલિસિટર જનરલ એલિઝાબેથ બી. પ્રીલોગરે સુપ્રીમ કોર્ટને અરજી ફગાવી દેવા વિનંતી કરી. રાણાના વકીલ જોશુઆ એલ ડ્રેટલે 23 ડિસેમ્બરે પોતાના જવાબમાં યુએસ સરકારની ભલામણને પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટને તેમની અરજી સ્વીકારવા વિનંતી કરી હતી.
હાલ તહવ્વુર રાણા લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં કસ્ટડીમાં છે. રાણા પર 26/11 ના મુંબઈ હુમલામાં ભૂમિકા ભજવવાનો આરોપ છે અને તે પાકિસ્તાની-અમેરિકન લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. 2008 માં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
