તાજમહેલના રંગ બદલવા પર સુપ્રીમકોર્ટે ચિંતા દર્શાવી
સુપ્રીમકોર્ટ ઘ્વારા તાજમહેલના રંગમાં થઇ રહેલા ફેરફાર પર ચિંતા દર્શાવી છે. સફેદ રંગનું આ સ્મારક પહેલા પીળા કલરનું થઇ રહ્યું હતું, પરંતુ હવે તે ભૂરા અને લીલા રંગમાં બદલાઈ રહ્યું છે.
સુપ્રીમકોર્ટ ઘ્વારા તાજમહેલના રંગમાં થઇ રહેલા ફેરફાર પર ચિંતા દર્શાવી છે. કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સફેદ રંગનું આ સ્મારક પહેલા પીળા કલરનું થઇ રહ્યું હતું, પરંતુ હવે તે ભૂરા અને લીલા રંગમાં બદલાઈ રહ્યું છે. તાજમહેલના રંગમાં થઇ રહેલા આવા ફેરફાર પર તેમને કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. સુપ્રીમકોર્ટ ઘ્વારા કેન્દ્ર સરકારને જણાવવામાં આવ્યું છે કે તેઓ દેશ અને વિદેશના એક્સપર્ટની મદદ લે અને આ ઐતિહાસિક સ્મારકને મૂળ રૂપે જાળવી રાખવા માટે જરૂરી પગલાં ભરે.

તાજમહેલ ની હાલત પર સુપ્રીમકોર્ટ સખત
તાજમહેલના રંગમાં થઇ રહેલા ફેરફાર ને લઈને જસ્ટિસ એમબી લોકુર અને જસ્ટિસ દિપક ગુપ્તા ઘ્વારા કેન્દ્ર સરકાર ને આડા હાથે લેવામાં આવ્યા છે. તેમને કહ્યું કે અમને ખબર નથી કે કેન્દ્ર સરકાર પાસે આટલો અનુભવ છે કે નથી. જો તમારી પાસે અનુભવ છે તો તમે તેનો ઉપયોગ નથી કરી રહ્યા અથવા તમને તેની ચિંતા જ નથી.

સુપ્રીમકોર્ટ ઘ્વારા સરકારને જરૂરી આદેશ આપવામાં આવ્યા
સુપ્રીમકોર્ટ ઘ્વારા કેન્દ્ર સરકારને જણાવવામાં આવ્યું છે કે તેઓ દેશ અને વિદેશના એક્સપર્ટની મદદ લે અને આ ઐતિહાસિક સ્મારકને મૂળ રૂપે જાળવી રાખવા માટે જરૂરી પગલાં ભરે. સુપ્રીમકોર્ટમાં એમસી મહેતા તરફ થી તાજમહેલ ના ફોટો રજુ કરવામાં આવ્યા હતા. આ તસવીરો જોઈને સુપ્રીમકોર્ટ ઘ્વારા એડિશનલ સોલિસિટર જનરલ આઈએનએસ નડકરીને પૂછવામાં આવ્યું કે તાજમહેલનો રંગ કેમ બદલાઈ રહ્યો છે.

કોર્ટ ઘ્વારા તાજમહેલની રજુ કરવામાં આવેલા ફોટોનું અવલોકન કરવામાં આવ્યું
કોર્ટ ઘ્વારા કહેવામાં આવ્યું કે પહેલા તાજમહેલ પીળો થઇ રહ્યો હતો અને હવે ભૂરો અને લીલો થઇ રહ્યો છે. એડિશનલ સોલિસિટર જનરલ આઈએનએસ નડકરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તાજમહેલ નું પ્રબંધન પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ ઘ્વારા કરવામાં આવે છે. આ મામલે આગળની સુનાવણી 9 મેં દરમિયાન રાખવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
