Jammu and Kashmir Elections : વિધાનસભાની ચૂંટણી માટે મેદાન મોકળુ, સીમાંકનને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
Jammu and Kashmir Elections : સુપ્રીમ કોર્ટ દ્વારા જમ્મુ-કાશ્મીર સીમાંકન આયોગને પડકારતી અરજીને ફગાવી દેવામા આવી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રએ ઘણી વખત સ્પષ્ટ કર્યું છે કે, સીમાંકન બાદ તમામ પક્ષો સાથે ચર્ચા કરવામાં આવશે.
Jammu and Kashmir Elections : કેન્દ્ર શાસિત બનવાના કારણે જમ્મુ-કાશ્મીરમાં ફરીથી સીમાંકન કરવામાં આવ્યું હતું, જેથી વિધાનસભાની ચૂંટણી કરાવવામાં આવી શકે. જોકે, ઘણા લોકોએ આ સીમાંકન સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે.
કોર્ટે જમ્મુ-કાશ્મીરનું સીમાંકન યથાવત રાખ્યું છે. આ સાથે વિધાનસભા અને લોકસભા મતવિસ્તારોના પુનઃનિર્ધારણ માટે સીમાંકન આયોગની રચના કરવાના નિર્ણયને પડકારતી અરજી પણ ફગાવી દીધી છે.

વાસ્તવમાં હાજી અબ્દુલ ગની ખાન અને મોહમ્મદ અયુબ મટ્ટુએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, જુલાઇ 2004માં સીમાંકન આયોગ દ્વારા જાહેર કરાયેલા પત્ર મુજબ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વર્તમાન વિધાનસભા બેઠકોની સંખ્યા વસ્તી ગણતરી સુધી બદલી શકાશે નહીં. આવી સ્થિતિમાં આ સીમાંકન 2026 પછી થવું જોઈએ. તેમણે એવી પણ દલીલ કરી હતી કે, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને નાગાલેન્ડમાં છેલ્લા 51 વર્ષથી સીમાંકન થયું નથી.
અરજદારોએ કોર્ટમાં એવી પણ દલીલ કરી હતી કે, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 હેઠળ, માત્ર ચૂંટણી પંચને સીમાંકન કરવાની સત્તા છે અને સીમાંકન આયોગ જેવી અસ્થાયી સંસ્થા નથી. આ કિસ્સામાં સીમાંકન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ સુપ્રીન કોર્ટે અરજી ફગાવી દીધી હતી. સીમાંકન આયોગના બંધારણને પણ સમર્થન આપ્યું હતું.
પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં કરાઇ હતી પંચની રચના
અત્રે નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષો ત્યાં ચૂંટણીની માંગ કરી રહ્યા છે. જેના પર કેન્દ્રએ ઘણી વખત સ્પષ્ટ કર્યું છે કે, સીમાંકન બાદ તમામ પક્ષો સાથે ચર્ચા કરવામાં આવશે. જે બાદ ચૂંટણી યોજાશે. 6 માર્ચ, 2020 ના રોજ, કેન્દ્ર સરકાર દ્વારા સીમાંકન અધિનિયમ 2002ની કલમ 3 હેઠળ એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ (નિવૃત્ત) રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સીમાંકન પંચની સ્થાપના કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
