Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પૂર્વાંચલ એક્સપ્રેસ વેના નિર્માણના કારણે 120 ગામોના રસ્તાઓ બરબાદ થયા, મેનકા ગાંધીએ કહ્યું- તેમનું સમારકામ કરાવ

પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું 16 નવેમ્બર મંગળવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન બાદ સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ પણ તેજ થઈ ગયું છે.

સુલ્તાનપુર : પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું 16 નવેમ્બર મંગળવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન બાદ સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ પણ તેજ થઈ ગયું છે.

national news

હવે બીજેપી નેતા અને સુલતાનપુરના સાંસદ મેનકા ગાંધીએ પૂર્વાંચલ એક્સપ્રેસ વેના નિર્માણમાં બરબાદ થયેલા ગામના 120 રસ્તાઓનો મુદ્દો ઉઠાવ્યો છે. મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે, પૂર્વાંચલ એક્સપ્રેસ વે બની ગયો છે, પરંતુ તેના નિર્માણ બાદ જે 120 ગામડાઓ બરબાદ થઈ ગયા છે, તેમના રસ્તાઓ પણ બનાવવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 નવેમ્બરના રોજ સુલ્તાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન સુલતાનપુરના સાંસદ મેનકા ગાંધી શરૂઆતથી અંત સુધી વડાપ્રધાન મોદી સાથે સ્ટેજ પર રહ્યા હતા. મંચ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા.

જે બાદ મેનકા ગાંધીના આવા નિવેદનથી કોઈને કોઈ બાબતની નારાજગી જોવા મળી રહી છે. દૈનિક ભાસ્કરના સમાચાર અનુસાર, મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે, 'અમને ખૂબ ગર્વ છે કે, અમારો વિસ્તાર પસંદ કરવામાં આવ્યો, અમે ખૂબ જ ખુશ છીએ. તે એક સુંદર, શક્તિશાળી અને મહત્વપૂર્ણ એક્સપ્રેસવે છે. જેઓ બનાવવા જઈ રહ્યા હતા. તેમને અમે કહી રહ્યા હતા કે, 120 ગામોના રસ્તાઓ જે બરબાદ થઈ ગયા છે, તે બનાવતા સમયે જ આ રોડનું સમારકામ કરાવો.

મેનકા ગાંધીએ રાજ્યના મુખ્યમંત્રી સાથે 120 ગામોના રસ્તા બનાવવા માટે વાત કરી હતી. જે બાદ તે બુધવારના રોજ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને મળી હતી અને રસ્તાના નિર્માણ અંગે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, પૂર્વાંચલ એક્સપ્રેસ વે લખનઉથી ગાઝીપુર સુધી 431 કિલોમીટરનો બનાવવામાં આવ્યો છે. તે નવ જિલ્લાની સરહદથી ગાઝીપુર પહોંચે છે.

આમાં સુલતાનપુર પણ આવે છે, અહીં આ એક્સપ્રેસ વે બનાવવામાં ગામના રસ્તાઓ બરબાદ થઈ ગયા છે. જેમાં ટ્રક, ડમ્પર સહિતના તમામ વાહનોનો ઉપયોગ બાલાસ્ટ, માટીની હેરફેર સહિતના તમામ કામો માટે કરવામાં આવ્યો હતો. આ ભારે વાહનોના કારણે આ રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે. મેનકા ગાંધીએ આ મુદ્દો સીએમ સમક્ષ પીડબલ્યુડી મંત્રી સમક્ષ ઉઠાવ્યો છે, જેથી તેનું નિર્માણ થાય. મેનકા ગાંધીએ કહ્યું કે, તેમણે વચન આપ્યું છે કે, તેઓ તેમને પણ ઠીક કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X