બેંક એકાઉન્ટમાં માં પૈસા રાખતા લોકો જરૂર વાંચે, આટલા રૂપિયા સુધી જ મળે છે બેંક ગેરંટી
જો તમને પણ લાગે છે કે બેંક ખાતામાં તમારી થાપણ સંપૂર્ણ સલામત છે, તો આ સમાચાર તમને આંચકો આપશે. બેંક ખાતામાં જમા કરાતી તમારી બચતમાંથી 1 લાખ રૂપિયા જ સુરક્ષિત છે.
જો તમને પણ લાગે છે કે બેંક ખાતામાં તમારી થાપણ સંપૂર્ણ સલામત છે, તો આ સમાચાર તમને આંચકો આપશે. બેંક ખાતામાં જમા કરાતી તમારી બચતમાંથી 1 લાખ રૂપિયા જ સુરક્ષિત છે. હા, બેંક ખાતાની થાપણોમાં તમારી બચતમાંથી, ફક્ત 1 લાખ રૂપિયા બેંક દ્વારા બાંહેધરી આપવામાં આવી છે, એનાથી વધારેની થાપણો પર બેંક દ્વારા બાંહેધરી આપવામાં આવતી નથી.

RBIના આ પ્રતિસાદથી લોકોના ઉડ્યા હોશ
આરબીઆઈના નિયમો અનુસાર, જો કોઈ કારણોસર બેંક દેવાળીયું થાય છે, તે ખાતાધારકોના ખાતામાં જે પણ રકમ જમા હોય તેમાંથી ફક્ત એક લાખ રૂપિયા મળશે. હા, આરબીઆઈના સહયોગી એકમ ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (DICGC) એ એક આરટીઆઈના જવાબમાં આ કહ્યું હતું. માહિતીના અધિકાર હેઠળ માંગેલી માહિતી મુજબ, કંપનીએ જણાવ્યું છે કે DICGC એક્ટ 1961 ની કલમ 16 (1) હેઠળ, બેંકના નાદારી અથવા બંધ થવા પર એકાઉન્ટ ધારકોની થાપણોમાંથી માત્ર 1 લાખ રૂપિયાની બેંક ગેરંટી. છે, જે તે ખાતાધારકોને પાછા આપશે. ખાતાધારકોની થાપણમાંથી માત્ર 1 લાખ રૂપિયાનો વીમો લેવામાં આવે છે.

શું છે આરબીઆઈનો નિયમ
આરબીઆઈના નિયમો હેઠળ બેંક ખાતાધારકોની થાપણોની બાંહેધરી આપે છે, પરંતુ તમારી કુલ થાપણમાંથી માત્ર 1 લાખ રૂપિયા વીમા હેઠળ આવે છે. એક લાખ પછી રકમની સલામતીની કોઈ ગેરંટી નથી. એટલે કે, જો તમે તમારા બચત ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, પરંતુ કોઈ કારણોસર, જો બેંક નાદારી જાહેર કરવામાં આવે છે અથવા બંધ થવાની આરે આવે છે, તો બેંક તમને ફક્ત 1 લાખ રૂપિયા પરત કરશે. બાકીના 14 લાખ રૂપિયા તમને મળશે નહી.

ખાનગી - સરકારી બેંકોને લાગુ પડે છે નિયમ
આરબીઆઈની આ માર્ગદર્શિકા જાહેર અને ખાનગી બેંકો બંને માટે લાગુ થશે. આરબીઆઈનો આ નિયમ તમામ બેંકોને લાગુ છે. એટલું જ નહીં, જાહેર અને ખાનગી બેંકો ઉપરાંત, આ નિયમ વિદેશી બેંકો પર પણ લાગુ પડે છે. આ નિયમ તે તમામ બેન્કોને લાગુ પડે છે જેમણે આરબીઆઈ પાસેથી લાઇસન્સ મેળવ્યું છે. પી.એન.બી. કૌભાંડ બાદ લોકોને ડર હતો કે તેમના ઘર ડૂબી જાય નહીં. જો કે, ખાતાધારકોની થાપણો સંપૂર્ણ સુરક્ષિત છે તેની ખાતરી કરવા સરકાર પ્રયાસ કરે છે. માનવામાં આવે છે કે સરકાર આ વીમા રકમ પાંચથી 10 લાખ રૂપિયા સુધી વધારી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
