તળાવની દુર્ગંધથી રામ-લક્ષ્મણના હાલ બેહાલ, રામલીલા છોડીને ધરણા પર બેઠા
તળાવની દુર્ગંધથી રામ-લક્ષ્મણના હાલ બેહાલ, રામલીલા છોડીને ધરણા પર બેઠા
વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના ધનેસરા સ્થિત તળાવે ઐતિહાસિક લાટ ભૈરો રામલીલા જોવા માટે શનિવારે જ્યારે લોકો એકઠા થયા ત્યારે જોઈને સૌકોઈ ચોંકી ગયા હતા કે રામ-લક્ષ્મણ ધરણા પર બેસી ગયા હતા. રામ અને લક્ષ્મણનો રોલ નિભાવતા કલાકારો સ્ટેજ પર આવ્યા ત્યારે અભિનય કરવાને બદલે તેઓ ધરણા પર બેસી ગયા હતા. આ લોકોની સાથે રામલીલા કમિટિના તમામ સભ્યો પણ હાજર હતા.

દુર્ગંધને કારણે બેઠા ધરણા પર
રામલીલા કમિટિના લોકોનું કહેવું છે કે તળાવની આજુબાજુમાં બહુ દુર્ગંધ છે, જેને કારણે અહિં લોકો બીમાર પડી હ્યા છે. ગંદકીને કારણે અહિં ભારે દુર્ગંધ આવી રહી છે. રામલીલા આયોજકોનું કહેવું છે કે મોટાભાગે રામલીલાનો મંચ આદમપુરા સ્થિત લાટ ભૈરો મંદિરમાં થાય છે, પરંતુ રામ કેવટ સંવાદ માટે આ જગ્યાને પસંદ કરવામાં આવી હતી, જ્યાં ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા ગંગા નદી પાર કરે છે.

ઉલટી કરવ લાગ્યા રામ-લક્ષ્મણ
શનિવારે સાંજે જ્યારે રામલીલાની ટીમ ધનેસરા પહોંચી તો લોકોએ જોયું કે તળાવમાં ભારે કચરો ભર્યો છે. દુર્ગંધ એટલી વધુ હતી કે રામ અને લક્ષ્મણનું કેરેક્ટર નિભાવતા કલાકારોએ અહિં જ ઉલટી કરી દીધી હતી, જે બાદ તેઓ બંને ધરણા પર બેસી ગયા.

મનાવવા પહોંચ્યા અધિકારીઓ
રામ અવતાર પાંડેએ નગરપાલિકાના કમિશ્નરનો સંપર્ક કર્યો. સાથે જ ઘટના સ્થળે એડીએમ સિટી વિનય કુમાર સિંહ અને એડિશનલ મ્યુનિસિપલ કમિશ્નર એકે સિંહ પણ પહોંચી કલાકારોને એમના ધરણા સમાપ્ત કરવાની અપીલ કરી. અધિકારીઓએ જ્યારે ભરોસો અપાવ્યો કે શનિવારે રામ કેવટ એપિસોડ પહેલા આ તળાવની સફાઈ કરી દેવામાં આવશે ત્યારે જઈને રામલીલાનું મંચન શરૂ થયું. પાંડેએ જણાવ્યું કે અહીં રામલીલાનું મંચન વર્ષ 1545થી થઈ રહ્યું છે, પરંતુ આવા પ્રકારની સમસ્યા ક્યારેય નથી આવી. એમણે આરોપ લગાવ્યો કે આ વિસ્તારમાં રહેતા કેટલાક લોકોએ જાણીજોઈને ષડયંત્ર કર્યું હતું અને અહિં કચરો ફોંક્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
