Punjab News: AAPમાં જોડાયા કોંગ્રેસના નેતા જગવિંદર પાલ, CM માને આપ્યું સભ્યપદ

Punjab News: લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસ પાર્ટીને પંજાબમાં મોટો ઝટકો લાગ્યો છે. અમૃતસરના દિગ્ગજ કોંગ્રેસી નેતા જગવિંદર પાલ સિંહ જગ્ગા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. જગ્ગાએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં AAPનું સભ્યપદ લીધું હતું.

2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં, જગ્ગાએ અમૃતસરની મજીઠા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. એવું માનવામાં આવે છે કે, જગ્ગાના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી અમૃતસરમાં AAP વધુ મજબૂત થશે.

Jagwinder Pal

ઉલ્લેખનીય છે કે, 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પંજાબમાં એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે. પંજાબમાં AAPને વધુ મજબૂત કરવા પાર્ટી એક્શનમાં છે.

થોડા દિવસો પહેલા રાજ્યમાં બ્લોક ઈન્ચાર્જ અને સર્કિટ ઈન્ચાર્જની તમામ જગ્યાઓ તાત્કાલિક અસરથી વિસર્જન કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે, AAP ટૂંક સમયમાં પંજાબમાં પોતાના સંગઠનનો વિસ્તાર કરી શકે છે.

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ પંજાબ અને અન્ય રાજ્યોમાં તૈયારીઓ તેજ કરી દીધી છે. આ સિવાય તાજેતરમાં આમ આદમી પાર્ટીએ પંજાબ, દિલ્હી અને કેટલાક અન્ય રાજ્યોમાં નવા પદાધિકારીઓની નિમણૂક કરી છે. આ સાથે AAP નેતાઓ અને કાર્યકરોને બ્લોક સ્તરે લોકોનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. જેના કારણે વધુને વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X