Punjab News : રણજીતસાગર પહોંચ્યા ભગવંત માન, કહ્યું - પર્યટન સ્થળ તરીકે વિકસિત કરાશે
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રણજીત સાગર ડેમની આસપાસના વિસ્તારમાં વિશેષ રુપે ધાર કલાં તાલુકાને એક મુખ્ય પર્યટન સ્થળના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. એ માટે નક્કર કાર્યવાહી કરવામાં આવશે.
ગુરુવારના રોજ આ વિસ્તારની મુલાકાતે આવેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આ વિસ્તારને વિશાળ રમણીય વૉકિંગ રૂટ તરીકે વિકસાવવા માટે નક્કર પ્રયાસો કરવામાં આવશે. આ અગાઉની રાજ્ય સરકારોની બેદરકારીને કારણે આ વિસ્તાર વિકાસમાં પાછ રહી ગયો હતો.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પ્રવાસન માટે અપાર સંભાવના છે અને કુદરતી સૌંદર્યની આ રોમેન્ટિક ભૂમિ હવે પ્રવાસીઓના આકર્ષણ તરીકે ઉપયોગમાં લેવાશે.
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપવા માટે, પંજાબના મુખ્યમંત્રીએ અધિકારીઓને સમગ્ર પ્રદેશના વિકાસ માટે વિગતવાર રોડમેપ તૈયાર કરવા જણાવ્યું હતું. આ પ્રદેશ કુદરતી સંસાધનોથી ભરપૂર છે, જે સમગ્ર વિશ્વના પ્રવાસીઓને આકર્ષી શકે છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે આ વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું એ સમયની જરૂરિયાત છે.












Click it and Unblock the Notifications
