પંજાબ સરકાર તરફથી નવાંશહરથી દિલ્લી એરપોર્ટ સુધી આજથી ચાલશે વૉલ્વો બસો, જાણો કેટલુ છે ભાડુ?
આજે એટલે કે 15 જૂનથી પંજાબથી દિલ્લી એરપોર્ટ સુધીની વૉલ્વો બસો ચાલવાની શરુ થઈ જશે.
નવાંશહરઃ પંજાબના શહેરોથી દિલ્લી એરપોર્ટ માટે શરુ થનાર વૉલ્વો બસોમાં સીટનુ બુકિંગ ઑનલાઈન કરી શકાય છે. પંજાબ રોડવેઝ નવાંશહર ડેપોના જીએમ જસવીર સિંહે જણાવ્યુ કે મુસાફરો punbusonline.com વેબસાઈટ પર જઈને પોતાનુ બુકિંગ કરાવી શકે છે. તેમણે કહ્યુ કે પંજાબ સરકાર તરફથી દિલ્લી એરપોર્ટ માટે શરુ કરવામાં આવેલી વૉલ્વો બસોના સંબંધમાં ટેકનિકલ અડચણો પૂરી થયા બાદ આજે એટલે કે 15 જૂનથી આ બસો ચાલવાની શરુ થઈ જશે.

પંજાબની વૉલ્વો બસ હોશિયારપુરથી વાયા નવાંશહર/બાલાચૌર થઈને દિલ્હી જશે. નવાંશહેર બસ સ્ટેન્ડથી આ બસ દરરોજ સવારે 7.55 વાગ્યે ઉપડશે. આ જ બસ સવારે 8.15 વાગ્યે બાલાચૌર પહોંચશે અને ત્યાંથી સવારે 8.20 વાગ્યે ઉપડશે. પંજાબ રોડવેઝ નવાંશહેર ડેપોના જીએમ જસવીર સિંહના જણાવ્યા મુજબ મુસાફરોને તેમનુ બુકિંગ કરાવ્યા બાદ બસમાં સીટો ફાળવવામાં આવશે. જ્યાં સુધી જિલ્લાની પોતાની વૉલ્વો બસની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી હાલ હોશિયારપુર ડેપોની બસ નવાંશહેર-બાલાચૌર થઈને પસાર થશે. આ વૉલ્વો બસ કાશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ થઈને જશે.
હોશિયારપુરથી દિલ્હી એરપોર્ટ માટે બસ વાયા ગઢશંકર-નવાશહેર, બાલાચૌર થઈને રાત્રે 8:40 વાગ્યે ઉપડશે અને ચંદીગઢ બાજુથી લગભગ 4:30 વાગ્યે દિલ્હી પહોંચશે અને પરત ફરતી વખતે તે 12:15 વાગે એરપોર્ટથી નવાંશહર-હોશિયારપુર માટે રવાના થશે. આ માટે પણ મુસાફરોએ ઉપરોક્ત વેબસાઇટ પરથી બુકિંગ કરાવવુ પડશે. તમને જણાવી દઈએ કે અહીંના લોકો પહેલા ખાનગી બસોથી દિલ્હી એરપોર્ટ સુધી 2500 થી 3000 રૂપિયા પ્રતિ રાઈડમાં મુસાફરી કરતા હતા પરંતુ રાજ્ય સરકારે લોકોને સરકારી વૉલ્વો બસ દ્વારા દિલ્હી એરપોર્ટ સુધી જવાની સુવિધા આપવાની જાહેરાત કરી છે. આ કર્યા પછી નવાશહેરના લોકો પ્રતિ રાઈડ 1070 રૂપિયા અને બાલાચૌરથી 990 રૂપિયા પ્રતિ રાઈડમાં આ મુસાફરી કરી શકશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
