પીડિત પરિવારના નાર્કો ટેસ્ટ પર પ્રિયંકા ગાંધી ભડક્યા, રાહુલ ગાંધી આજે ફરીથી જશે હાથરસ
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ છે.
હાથરસઃ હાથરસ ગેંગરેપ અને મોત કેસ માટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર અને યુપી પોલિસ સવાલોના ઘેરામાં છે. હાથરસ પીડિતાના પરિવારને તેમના જ ઘરમાં કેદ કરી લેવામાં આવ્યા છે. પીડિતાના ગામમાં ઘેરબંધી કરી દેવામાં આવી છે. પોલિસ ખૂણે-ખૂણે તૈનાત છે. પીડિતાના પરિવારનો આરોપ છે કે પ્રશાસન તેમને ધમકાવી રહી છે. આ દરમિયાન શનિવારે (3 ઓક્ટોબર) કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ છે. પ્રિયંકા ગાંધીએ પીડિત પરિવારના નાર્કો ટેસ્ટ થવાની વાત પર કહ્યુ છે કે પીડિત પરિવારને ધમકાવવાનુ બંધ કરો. આ વ્યવહાર દેશને મંજૂર નથી.

આ વ્યવહાર દેશને મંજૂર નથીઃ પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ, 'યુપી સરકાર નૈતિક રીતે ભ્રષ્ટ છે. પીડિતાને ઈલાજ ન મળ્યો, સમયે ફરિયાદ ન લખી, શબને જબરદસ્તી બાળવામાં આવ્યુ, પરિવાર કેદમાં છે, તેમને દબાવવામાં આવી રહ્યા છે - હવે તેમને ધમકી આપવામાં આવી રહી છે કે નાર્કો ટેસ્ટ થશે. આ વ્યવહાર દેશને મંજૂર નથી. પીડિતાના પરિવારને ધમકાવવાનુ બંધ કરો.' પ્રિયંકા ગાંધીએ પોતાના એક અન્ય ટ્વિટમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના રાજીનામાની માંગ કરી છે. પ્રિયંકાએ લખ્યુ છે કે યોગીજી તમને નૈતિક રીતે સીએમ રહેવાનો કોઈ અધિકાર નથી.

યુપી પ્રશાસન સત્ય છૂપાવવા માટે હેવાનિયત પર ઉતરી આવ્યુ
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ હતુ કે આ પ્યારી બાળકી અને તેના પરિવાર સાથે યુપી સરકાર અને તેમની પોલિસ દ્વારા કરેવામાં આવી રહેલ વ્યવહાર મને સ્વીકાર્ય નથી. કોઈ પણ હિંદુસ્તાનીને આ સ્વીકાર્ય ન હોવુ જોઈએ. આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વિ કર્યુ હતુ - યુપી પ્રશાસન સત્ય છૂપાવવા માટે હેવાનિયત પર ઉતરી આવી છે. ના તો અમને, ના તો મીડિયાને પીડિતાના પરિવારને મળવા દેવા અને ના તેમને બહાર આવવા દે છે. ઉપરથી પરિવારજનો સાથે મારપીટ અને હેવાનિયત. કોઈ પણ ભારતીય આવા વલણનુ સમર્થન ન કરી શકે.

રાહુલ ગાંધી આજે ફરીથી પહોંચશે હાથરસ
રાજકીય પક્ષો સતત હાથરસ પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. આ ક્રમમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ફરીથી હાથરસ જવાની કોશિશ કરશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તે બપોરે હાથરસ માટે નીકળશે. તેમની સાથે કોંગ્રેસ સાંસદોનુ એક દળ પણ જશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળ પીડિતાના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમનુ દુઃખ વહેંચશે. વળી, રાહુલના હાથરસ પહોંચવાના સમાચારોના કારણે એક વાર ફરીથી પોલિસ એલર્ટ પર છે અને સીમા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે તે કેટલા વાગે હાથરસ આવશે એ સ્પષ્ટ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
