Pinjab : ફ્રી-શીપ કાર્ડ અને સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ, આવી રીતે કરો આવેદન
પંજાબની ભગવંત માન સરકાર શિક્ષણમાં એક પછી એક ક્રાંતિકારી પગલા ભરી રહી છે. આ ક્રમમાં સરકારે રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ફ્રી-શીપ કાર્ડ અને સ્કોલરશીપ માટે વિશેષ યોજના અમલમાં મુકી છે.
પંજાબના સામાજિક ન્યાય, સશક્તિકરણ અને લઘુમતી મંત્રી ડૉ. બલજીત કૌરે આ મુદ્દે વાત કરતા જણાવ્યુ કે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યંત ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરવામાં સહાય પૂરી પાડવાનો છે.

પંજાબ સરકારની આ યોજના હેઠળ ફ્રી-શિપ કાર્ડ જારી કરવા અને ડો. આંબેડકર શિષ્યવૃત્તિ પોર્ટલ https://scholarships.punjab.gov પર 10મા ધોરણ પછી ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે અરજી કરવા ઑનલાઇન પોર્ટલ ખુલ્લુ મુકાયુ છે.
મંત્રી ડૉ. બલજીત કૌરે જણાવ્યુ કે, આ યોજનાની સૂચનાઓનો ઉલ્લેખ GOI માર્ગદર્શિકા માર્ચ 2021 માં યોજનાની વિગતોમાં કરવામાં આવ્યો છે. શિષ્યવૃત્તિ સંબંધિત તકનીકી સમસ્યાઓ માટે pms.dsjem.punjab@gmail.com પર ઇમેઇલ કરી શકાશે. આ અરજી કરવા માટે અરજદાર પંજાબનો રહેવાસી હોવો જોઈએ અને અનુસૂચિત જાતિનો હોવો જોઈએ.
આના માટે અરજી કરનારા વિદ્યાર્થીના માતા-પિતા-વાલીની વાર્ષિક કૌટુંબિક આવક 2.5 લાખથી વધુ ન હોવી જોઈએ અને સરકારી, માન્યતાપ્રાપ્ત અથવા ખાનગી યુનિવર્સિટી/કોલેજ/શાળામાં અભ્યાસ કરતા હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. તેમણે એ પણ કહ્યું કે, ફ્રી-શિપ કાર્ડ ફક્ત નવા વિદ્યાર્થીઓને જ આપવામાં આવશે.
ફ્રી-શિપ કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા પોર્ટલના હેલ્પ મેનૂમાં સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન અને ફ્રી-શિપ કાર્ડ મેન્યુઅલમાં ઉલ્લેખિત છે કરાઈ છે. રિન્યુઅલ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની જરૂર નથી, તેમની અરજીઓ સંસ્થાના IDમાં આપમેળે જનરેટ થઈ જશે.
આ ઉપરાંત શિષ્યવૃત્તિ ચુકવવા અરજદારનું બેંક ખાતું આધાર સીડ સાથે એક્ટિવ મોડમાં હોવું જોઈએ અને નવા વિદ્યાર્થીઓ માટે તહસીલદાર/નાયબ તહસીલદાર દ્વારા જારી કરાયેલ આવકનું પ્રમાણપત્ર ધ્યાનમાં લેવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેમની સંસ્થાઓમાં ફ્રી-શિપ કાર્ડથી વિદ્યાર્થીઓને પ્રવેશ ફી લીધા વિના પ્રવેશ આપશે અને વિદ્યાર્થી સંસ્થામાં પ્રવેશ લીધા પછી તરત જ શિષ્યવૃત્તિ માટે અરજી કરે તેની ખાતરી કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
