Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પતંજલિએ રોક્યુ આ 14 ઉત્પાદનોનુ વેચાણ, ચેક કરી લો તમારા ઘરમાં તો યુઝ નથી થતાને આ પ્રોડક્ટ્સ?

Patanjali Stops Sale of 14 Products: બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ લિમિટેડે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તેણે 14 ઉત્પાદનોનું વેચાણ અટકાવી દીધું છે, જેનાં ઉત્પાદન લાયસન્સ એપ્રિલમાં ઉત્તરાખંડ રાજ્ય લાઇસન્સિંગ ઓથોરિટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.

પતંજલિ આયુર્વેદ લિમિટેડે જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠને જણાવ્યું હતું કે તેણે 5,606 ફ્રેન્ચાઇઝી સ્ટોર્સને આ ઉત્પાદનોને પરત મંગાવવા માટે સૂચનાઓ પણ જાહેર કરી છે.

Patanjali

પતંજલિ આયુર્વેદે કહ્યું કે મીડિયા પ્લેટફોર્મને પણ આ 14 ઉત્પાદનોની તમામ જાહેરાતો પાછી ખેંચી લેવા માટે સૂચના આપવામાં આવી છે. ચાલો તમને જણાવીએ કે તે તમામ 14 પ્રોડક્ટ્સ કયા છે.

સ્વસારી ગોલ્ડ, સ્વસારી વટી, બ્રોન્કોમ, સ્વસારી પ્રવાહી, સ્વસારી અવલેહ, મુક્તાવતી એક્સ્ટ્રા પાવર, લિપિડોમ, બીપી ધૃત, મધુધૃત, મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર, પતંજલિ દૃષ્ટિ આઇ ડ્રોપ, આઇગ્રિટ ગોલ્ડ, લિવોગ્રિટ, લિવામૃત એડવાન્સ. આમાંના મોટા ભાગના એવા ઉત્પાદનો છે જેનો દરરોજ ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે લોકોના આરોગ્ય પર પણ અસર પડી રહી છે.

જસ્ટિસ હિમા કોહલી અને સંદીપ મહેતાની ખંડપીઠે પતંજલિ આયુર્વેદને બે અઠવાડિયાની અંદર એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે કે શું જાહેરાતો દૂર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલી વિનંતીઓ લાગુ કરવામાં આવી છે અને શું 14 ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેન્ચે કેસની આગામી સુનાવણી માટે 30 જુલાઈની તારીખ નક્કી કરી છે.

સુપ્રીમ કોર્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી છે, જેમાં પતંજલિ પર કોવિડ રસીકરણ અભિયાન અને આધુનિક તબીબી પ્રણાલીઓ વિરુદ્ધ પ્રચાર અભિયાન ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઉત્તરાખંડ રાજ્ય લાઇસન્સિંગ ઓથોરિટીએ કોર્ટને જણાવ્યું હતું કે પતંજલિ આયુર્વેદ લિમિટેડ અને દિવ્યા ફાર્મસીના 14 ઉત્પાદનોના ઉત્પાદન લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે 14 મેના રોજ ભ્રામક જાહેરાતના કેસમાં યોગ ગુરુ રામદેવ, તેમના સહયોગી બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડને આપવામાં આવેલી અવમાનના નોટિસ પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ અનેક પ્રોડક્ટ્સની જાહેરાતો પ્રકાશિત કરવા બદલ કોર્ટે સખત ઠપકો આપ્યો હતો. આ પછી પતંજલિએ જાહેરમાં માફી માગી અને કહ્યું કે આ ભૂલનું પુનરાવર્તન નહીં થાય. કંપનીએ એમ પણ કહ્યું કે તેણે 5,606 ફ્રેન્ચાઇઝી સ્ટોર્સને આ ઉત્પાદનો પાછા લેવા માટે સૂચનાઓ જાહેર કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X