Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Padma Awards 2023 : ગુજરાતના હીરાબાઈ લોબીને પદ્મશ્રી, જાણો પદ્મ પુરસ્કાર વિજેતાઓની પુરી યાદી

2023 માટેના પદ્મ પુરસ્કારોની જાહેરાત થઈ ગઈ છે. આદિવાસી બાળકોના શિક્ષણનું કામ કરનારા ગુજરાતના હિરાબાઈ લોબીને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે.

નવી દિલ્હી : ભારત તેના 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે સરકારે પદ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. ગણતંત્ર દિવસની પુર્વ સંધ્યાએ સરકારે 2023 માટેના પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામ જાહેરાત કર્યા છે. આ વખતે એક પદ્મ વિભૂષણ અને 25 પદ્મશ્રીના નામ જાહેર કરાયા છે. આ યાદીમાં મુલાયમ સિંહ યાદવને પદ્મ વિભૂષણ અને ડૉ. દિલીપ મહાલનાબીસને પદ્મ વિભૂષણ એનાયત કરાયા છે.

padma award

ડૉ. દિલીપ મહાલનાબીસ ઓઆરએસની શોધ માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. આ સિવાય રતન ચંદ્રકરને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. રતન ચંદ્રાકરને આંદામાનના જારાવા જનજાતિમાં ઓરીને લઈને કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

આ યાદીમાં એક ગુજરાતી નામ હીરા બાઈ લોબીનું પણ છે. તેમને સીદી આદિવાસીઓના બાળકોના શિક્ષણ માટે તેમના યોગદાન માટે સન્માનિત કરાયા છે. આ સિવાય મુનીશ્વર ચંદર દાવરને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. તે મુળ જબલપુરના છે અને છેલ્લા 50 વર્ષથી વંચિતોની સેવા કરી રહ્યા છે. આ સિવાય હેરાકા ધર્મની જાળવણી અને સંરક્ષણ માટે જીવન સમર્પિત કરનાર દિમા હસાઓના નાગા સામાજિક કાર્યકર રામકુઇવાંગબે નુમેને સામાજિક કાર્ય માટે પદ્મશ્રીથી નવાજાયા છે.

તેલંગાણાના 80 વર્ષીય ભાષાશાસ્ત્રના પ્રોફેસર બી. રામકૃષ્ણ રેડ્ડીને સાહિત્ય અને શિક્ષણ માટે, કાંકેરના ગોંડ આદિવાસી વુડ કાર્વર અજય કુમાર મંડાવીને કલા માટે,આઈઝવાલના મિઝો લોક ગાયક કે.સી. રણરેમસાંગીને પદ્મશ્રી અને જલપાઈગુડીના 102 વર્ષીય સંરિંદા ઉસ્તાદ મંગલા કાંતિ રોયને કલા માટે પદ્મશ્રી એનાયત કરાશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X