એરપોર્ટના ખાનગીકરણને લઇ ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીની વિરૂદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવની નોટીસ
કેરળના સીપીએમ રાજ્યસભાના સાંસદ ઇલામરામ કરીમે કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવની નોટિસ આપી છે. તેમણે આ નોટિસ કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટને અદાણી જૂથને ભાડે આપવા માટે
કેરળના સીપીએમ રાજ્યસભાના સાંસદ ઇલામરામ કરીમે કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવની નોટિસ આપી છે. તેમણે આ નોટિસ કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટને અદાણી જૂથને ભાડે આપવા માટે આપી છે. કરીમે રાજ્યસભાના મહાસચિવ દિપક વર્માને પત્ર લખ્યો છે કે તેઓ નિયમ 187 અંતર્ગત આ નોટિસ આપી રહ્યા છે કારણ કે પુરીએ જાણી જોઈને આ મામલે તેમને ખોટી માહિતી આપીને ગૃહને ગેરમાર્ગે દોર્યા છે.

કેરળ સરકારે પણ એરપોર્ટને ખાનગી હાથમાં સોંપવાનો વિરોધ કર્યો છે. આ મામલે કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજ્યને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નારાજગી વ્યક્ત કરતા પત્ર લખીને કહ્યું કે આ નિર્ણય નવી દિલ્હીમાં વડા પ્રધાન સાથેની વ્યક્તિગત બેઠક દરમિયાન આપવામાં આવેલી ખાતરીની વિરુદ્ધ છે.
પત્રમાં વિજાયને કહ્યું છે કે, તિરુવનંતપુરમ સહિત ત્રણ વિમાનમથકો 50 વર્ષ માટે ખાનગી કંપનીને સોંપવાનું 2003 માં ભારત સરકાર દ્વારા અપાયેલી ખાતરીની વિરુદ્ધ છે. ભારત સરકારની ખાતરી બાદ જ કેરળ સરકારે આંતરરાષ્ટ્રીય ટર્મિનલ બનાવવા માટે 23.57 એકર જમીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઓથોરિટીને આ શરતે આપી હતી કે જમીનના ભાવે એરપોર્ટના સંચાલન માટે વિશેષ હેતુ વાહન (એસપીવી) રાજ્યની શેર મૂડી તરીકે શામેલ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા એકપક્ષીય નિર્ણયને ધ્યાનમાં રાખીને, તેમની સરકાર સંપૂર્ણ રીતે સહકાર આપી શકશે નહીં.
બુધવારે (19 ઓગસ્ટ) ના રોજ કેન્દ્ર સરકારે દેશના ત્રણ એરપોર્ટને ખાનગી હાથમાં સોંપવાની મંજૂરી આપી હતી. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટને પીપીપી (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડેલ અંતર્ગત 50 વર્ષ માટે લીઝ પર લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: IIT છાત્રાએ ખરીદી ફિલ્મ પ્રમોશનમાં વિદ્યા બાલને પહેરેલી સંબલપુરી સાડી, જાણો કિંમત












Click it and Unblock the Notifications
