ગંગારામ હોસ્પિટલના પ્રમુખ બોલ્યા- કોરોના પર રેમડેસિવિરની અસરના કોઈ સબૂત નહી, ઉપયોગ પર પ્રતિબંધ લાગી શકે
ગંગારામ હોસ્પિટલના પ્રમુખ બોલ્યા- કોરોના પર રેમડેસિવિરની અસરના કોઈ સબૂત નહી, ઉપયોગ પર પ્રતિબંધ લાગી શકે
ગંગા રામ હૉસ્પિટલના પ્રમુખ ડૉ. ડીએસ રાણાએ મંગળવારે કહ્યું કે રેમડેસિવિર દવાની કોરોનાના દર્દીઓ પર કોઈ સકારાત્મક અસર જોવા નથી મળી રહી, માટે જલદી જ કોરોના દર્દીઓના ઈલાજમાં આ વેક્સીનના ઉપયોગને બંધ કરી શકાય છે. અગાઉ ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)એ કોરોના દર્દીઓ પર પ્લાઝ્મા થેરેપીને લઈને કહ્યું હતું કે કોરોનાના દર્દીઓ પર પ્લાઝ્મા થેરેપીનો કોઈ સકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો નથી માટે તેના ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.

રેમડેસિવિરની કોઈ અસર નહિ
ગંગા રામ હોસ્પિટલના પ્રમુખ ડૉ. ડીએસ રાણાએ આગળ કહ્યું કે, 'પ્લાઝ્મા થેરેપીમાં અમે કોઈ એવા વ્યક્તિને પ્રી-ફૉરવર્ડ એંટીબૉડી આપીએ છીએ જે પહેલેથી સંક્રમિત થઈ ચૂક્યો હોય, એટલે તે એંટીબૉડી વાયરસ સામે લડી શકે. સામાન્ય રીતે કોરોનાવાયરસ હુમલો કરે છે ત્યારે એંટીબૉડી બને છે. આપણે પાછલા વર્ષે જોયું કે પ્લાઝ્મા આપવાથી દર્દીઓ અને અન્ય લોકોની સ્થિતિમાં કોઈ ખાસો ફરક ના પડ્યો અને તે આસાનીથી ઉપલબ્ધ પણ નહોતું. પ્લાઝ્મા થેરેપી વૈજ્ઞાનિક આધારે શરૂ કરવામાં આવી હતી અને સબૂતોના આધારે તેને બંધ કરી દેવામાં આવી છે.'

માત્ર ત્રણ દવા કારગર ઠે
તેમણે આગળ કહ્યું કે 'જો કોરોનાના ઈલાજમાં ઉપયોગ થતી અન્ય દવાઓની વાત કરીએ તો રેમડેસિવિર વિશે કોરોનાના ઈલાજમાં કારગર હોય તેવાં એકેય સબૂત નથી મળ્યાં. જે દવાઓથી ફાયદો ના થઈ રહ્યો હોય તે દવાઓ બંધ કરી દેવી જોઈએ. આ સમયે કોરોનાના ઈલાજમાં માત્ર ત્રણ દવા કારગર છે.'

ઉપયોગી ના હોય તે દવા પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ
ડૉ. રાણાએ આગળ કહ્યું કે, 'અત્યારે અમે તપાસ અને દેખરેખ રાખી રહ્યા છીએ. ચિકિત્સા ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો અને જાણકારી હાંસલ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. જ્યાં સુધી આ મહામારી વિશે પૂરી જાણકારી હાંસલ કરી લેશું, મને લાગે છે કે ત્યાં સુધી આ ખતમ થઈ જશે.' જણાવી દઈએ કે આઈસીએમઆર દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશો બાદ કોરોનાના દર્દીઓ પર પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
