પૂલવામાં શહીદ થયેલા જવાનોના બાળકોના શિક્ષણની જવાબદારી રિલાયન્સ ફાઉન્ડેશન ઉઠાવશે
પૂલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારો અને બાળકોના ઉછેર અને તેમના શિક્ષણથી લઈને નોકરીમાં મદદ કરવા માટે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશનએ હાથ લંબાવ્યો
પૂલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારો અને બાળકોના ઉછેર અને તેમના શિક્ષણથી લઈને નોકરીમાં મદદ કરવા માટે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશને હાથ લંબાવ્યો છે. ફાઉન્ડેશને જાહેરાત કરી છે કે આ આતંકવાદી હુમલામાં તમામ ઇજાગ્રસ્ત જવાનોની દરેક શક્ય સારવાર માટે તેમની હોસ્પિટલ તૈયાર છે. ફાઉન્ડેશને આ બનાવ પર 1.3 અબજ ભારતીયો વતી આક્રોશ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: રાજોરીમાં શહીદ થયેલા મેજર ચિત્રેશના 7 માર્ચે લગ્ન થવાના હતા

શહીદોના પરિવારોની મદદ માટે સામે આવ્યું રિલાયન્સ ફાઉન્ડેશન
રિલાયન્સ ફાઉન્ડેશન વતી શનિવારે જણાવવામાં આવ્યું હતું કે તેઓ પૂલવામાં શહીદ થયેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના બાળકોના શિક્ષણ માટે ની સંપૂર્ણ જવાબદારી લેવા તૈયાર છે. તેમણે કહ્યું છે કે તેઓ શહીદોના બાળકોને રોજગાર અને તેમના પરિવારોનો ખર્ચ ઉઠાવવા માટે પણ તૈયાર છે. રિલાયન્સ ફાઉન્ડેશન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પરોપકારી સંસ્થા છે.
|
રિલાયન્સ ફાઉન્ડેશન ઇજાગ્રસ્તોને મદદ કરશે
એટલું જ નહીં હુમલામાં ઘાયલ જવાનો માટે જલ્દી સ્વસ્થ થવાની કામના કરતા રિલાયન્સ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે જો જરૂરત હોય તો તેમની હોસ્પિટલ આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા જવાનો નો સારામાં સારો ઉપચાર કરવા માટે પણ તૈયાર છે. તેમણે કહ્યું કે સરકાર શહીદો સાથે સંબંધિત કોઈ પણ જવાબદારી ફાઉન્ડેશનને આપશે તો, તે પણ રાજી ખુશીથી સ્વીકારી પૂરી કરશે. શોકની આ ઘડીમાં અમે શહીદોના પરિવારો સાથે છીએ.

બાળકોના શિક્ષણ-રોજગારની લીધી સંપૂર્ણ જવાબદારી
ફાઉન્ડેશને શહીદોને શ્રદ્ધાંજલિ અને પરિજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં, કહ્યું કે આતંકવાદના આ કુકૃત્યથી મુકાબલો કરવા દેશની 130 કરોડ જનતા સાથે, આખું રિલાયન્સ પરિવાર દૃઢ રીતે ઉભું છે. જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીએ કાશ્મીરના પૂલવા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોશહીદ થયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
