કોણ હતો 25 લાખનો ઈનામી, નક્સલીઓનો ટૉપ કમાંડર શંકર રાવ? એનકાઉન્ટર પછી સામે આવ્યો ફોટો
લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢમાં નક્સલવાદીઓ સાથે સુરક્ષાદળોનું મોટું એન્કાઉન્ટર થયું છે. જેમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. કાંકર જિલ્લાના માડ વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 29 નક્સલવાદીઓ માર્યા ગયા છે.
માર્યા ગયેલા નક્સલવાદીઓમાં ટૉપ કમાન્ડર શંકર રાવ પણ સામેલ છે. શંકર રાવ પર 25 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. આ સિવાય કમાન્ડર લલિતા અને રાજુ જેવા ખતરનાક નક્સલવાદીઓ પણ માર્યા ગયા છે.

ડેપ્યુટી સીએમ વિજય શર્માએ તેને નક્સલવાદ પર બસ્તર પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક ગણાવી છે. જો કે આ સંઘર્ષમાં બીએસએફના એક ઈન્સ્પેક્ટર અને બે ડીઆરજી જવાનો પણ ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને હેલિકૉપ્ટર દ્વારા રાયપુર લાવવામાં આવ્યા છે. ઘાયલ જવાનોને રાયપુરના દેવેન્દ્ર નગરની નારાયણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર, ટૉપ કમાન્ડર શંકર રાવ સિવાય માર્યા ગયેલા નક્સલવાદીઓમાં મહિલા નક્સલવાદી લલિતા માડવીનો પણ સમાવેશ થાય છે. પોલીસે લલિતા પર 25 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું. સુરક્ષા દળો બાકીના મૃતદેહોની ઓળખ કરી રહ્યા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓના મૃતદેહ પાસેથી સાત એકે 47 અને ત્રણ એલએમજી હથિયારો અને ઇન્સાસ રાઇફલ મળી આવી છે.
અહેવાલ મુજબ કાંકેરમાં નક્સલી કમાન્ડર શંકર રાવ અને અન્યોની હાજરીના સમાચાર મળ્યા હતા. આ પછી રણનીતિ બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડીઆઈજી ઈન્ટેલિજન્સ આલોક કુમાર સિંહે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી કાંકેર વિસ્તારમાં નક્સલવાદીઓની હિલચાલ અંગેના ઈનપુટ મળી રહ્યા હતા. આ પછી પોલીસ અને બીએસએફએ ઓપરેશનની તૈયારી કરી. જે અંતર્ગત આજની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
બસ્તરમાં શંકર રાવને આતંકનું બીજું નામ માનવામાં આવતું હતું. તે કાંકેરમાં જૂથનું નેતૃત્વ કરી રહ્યો હતો. હવે તેના મૃત્યુ બાદ તેની તસવીર સામે આવી છે. જોકે આ તસવીર જૂની હોવાનું કહેવાય છે.












Click it and Unblock the Notifications
