ગઢચિરોલી એન્કાઉન્ટરમાં નક્સલી કમાન્ડર તેલતુમ્બડે માર્યો ગયો, 50 લાખનું ઈનામ હતું!
મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં શનિવારે પોલીસ સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 26 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના હતા.
ગઢચિરોલી : મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં શનિવારે પોલીસ સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 26 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના હતા. જો કે માર્યા ગયેલા તમામ લોકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ વચ્ચે નક્સલવાદીઓના ટોચના કમાન્ડર મિલિંદ તેલતુમ્બડેના મૃત્યુના સમાચાર છે. તેલતુમ્બડે પર 50 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. મિલિંદ તેલતુમ્બડેની સાથે તેની પત્ની પણ એન્કાઉન્ટરમાં માર્યી ગઈ હોવાના અહેવાલ છે. આ એન્કાઉન્ટરમાં ત્રણ જવાન પણ ઘાયલ થયા છે.

માર્યા ગયેલા 26 નક્સલવાદીઓમાંથી 20 પુરુષ નક્સલવાદી અને 6 મહિલાઓ હોવાનું કહેવાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નક્સલીઓ પાસેથી AK-47, INSAS રાઈફલ અને SLR સહિત 29 હથિયારો મળી આવ્યા છે.
મિલિંદ તેલતુમ્બડે MMC (મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ) નો વડો હતો. તે દીપક તેલતુમ્બડે અથવા જીવા તરીકે પણ જાણીતો હતો. તે સીપીઆઈ (માઓ)ની સેન્ટ્રલ કમિટીનો સભ્ય પણ હતો. તે સશસ્ત્ર અંગરક્ષકો અને માઓવાદીઓની પ્લાટૂન સાથે ફરતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, તેલતુમ્બડેએ તાજેતરમાં 100 નક્સલવાદીઓની ભરતી કરી હતી અને તે તેને બસ્તરથી મધ્યપ્રદેશના બાલાઘાટ લઈ જવાની યોજના બનાવી રહ્યો હતો. રાશનની ટ્રકમાં લગાવેલા જીપીએસ ટ્રેકરની મદદથી તેની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી હતી, જ્યારે તેણે રાશન ખરીદ્યું ત્યારે સુરક્ષા દળોને ખબર પડી.
મિલિંદ તેલતુમ્બડે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણા પ્રદેશોના નક્સલવાદીઓની કોર કમિટીનો સભ્ય હતો અને એલ્ગાર પરિષદ હિંસા કેસમાં પણ આરોપી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના વાની તાલુકાના નાના ગામનો વતની મિલિંદ ભણેલો હતો. તેના પર એલ્ગાર પરિષદ હિંસામાં પડદા પાછળ આયોજન અને સહયોગ કરવાનો આરોપ છે. મિલિંદ તેલતુમ્બડે આનંદ તેલતુમ્બડેનો ભાઈ છે, જે ગોવાની એક કોલેજમાં પ્રોફેસર છે અને એલ્ગાર પરિષદ હિંસા કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
