રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાનની થઇ શરૂઆત, ગડકરી બોલ્યા - 2025 સુધીમાં રોડ અકસ્માતમાં 50 ટકાનો થશે ઘટાડો
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાનની શરૂઆત કરી હતી. એક મહિના ચાલેલા આ અભિયાનમાં લોકોને માર્ગ સલામતીના નિયમો વિશે જાગૃત કરવામાં આવશે અને આ માટે શાળાઓ, કોલેજો અને
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાનની શરૂઆત કરી હતી. એક મહિના ચાલેલા આ અભિયાનમાં લોકોને માર્ગ સલામતીના નિયમો વિશે જાગૃત કરવામાં આવશે અને આ માટે શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં માર્ગ સલામતી સંબંધિત કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં યુવાનોને માર્ગ સલામતી અંગે જાગૃત કરવામાં આવશે.

રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાનનો પ્રારંભ કરતાં નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે આ અભિયાનની ખૂબ જ જરૂર હતી. માર્ગ અકસ્માતમાં ઘણા યુવાનો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ અભિયાન દ્વારા, યુવાનોને માર્ગ સલામતીના નિયમો વિશે જાગૃત કરવામાં આવશે, જેથી 2025 પહેલાં આપણે માર્ગ અકસ્માતો અને તેના કારણે થતાં મૃત્યુને 50% ઘટાડી શકીશું. નીતિન ગડકરીએ કહ્યું કે જો આપણે 2030 સુધી આ રીતે જ ચાલતા રહીશું તો ત્યાં સુધીમાં 6-7 લોકો પોતાનો જીવ ગુમાવશે, તેથી જરૂરી હતું કે યુવાનોને માર્ગ સલામતીના નિયમો અંગે જાગૃત કરવામાં આવે. તમને જણાવી દઈએ કે આ અભિયાન 17 ફેબ્રુઆરી સુધી ચાલશે. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે અમે અત્યાર સુધી 30 કિ.મી. રસ્તો બનાવવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે અને અપેક્ષા રાખવામાં આવે છે કે માર્ચના અંત સુધીમાં અમે 40 કિ.મી. રસ્તો બનાવવાનું લક્ષ્યાંક પૂર્ણ કરીશું.
We have achieved the target of constructing 30 kilometres of road, I believe that by the end of March, perhaps we will achieve the target of constructing 40 kilometres of road per day: Nitin Gadkari, Minister of Road Transport & Highways https://t.co/rKISRqsXo1
— ANI (@ANI) January 18, 2021
મંત્રાલયે આપેલી માહિતી મુજબ, આ એક મહિનાના ગાળામાં દેશમાં માર્ગ સલામતીને લગતા પમ્પ્લેટ, સૂત્રોચ્ચાર, બેનરો વગેરે દ્વારા માર્ગ સલામતી અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં પરિવહન મંત્રાલય, પીડબ્લ્યુડી, પોલીસ, ડોક્ટર અને શૈક્ષણિક સંસ્થાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારે ન્યારી-2 સિંચાઈ યોજનાનો વિસ્તાર વધાર્યો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
