પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા, કેન્દ્ર સરકારે મંગાવ્ય આવેદન
ભારતની નરેન્દ્ર મોદી સરકારે બિન મુસ્લિમ શરણાર્થીઓની નાગરિકતા માટે મોટો નિર્ણય કર્યો છે.
નવી દિલ્લીઃ ભારતની નરેન્દ્ર મોદી સરકારે બિન મુસ્લિમ શરણાર્થીઓની નાગરિકતા માટે મોટો નિર્ણય કર્યો છે. દેશના 13 જિલ્લામાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાનો મોદી સરકારે નિર્ણય કર્યો છે. આના માટે કેન્દ્ર સરકારે આવેદન મંગાવ્યા છે. ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબના 13 જિલ્લાઓ આ બિન મુસ્લિમ શરણાર્થીઓ રહી રહ્યા છે. જેમનો ધર્મ હિંદુ, જૈન, સિખ કે પછી બૌદ્ધ છે. સરકારે તેમની પાસે ભારતીય નાગરિકતા માટે આવેદન મંગાવ્યા છે. નાગરિકતા કાયદો 1955 અને 2009માં બનેલા કાયદા હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના તત્કાળ કાર્યાન્વય માટે એક અધિસૂચના જારી કરી છે.

શુક્રવારે (28 મે) જારી એક અધિસૂચનામાં ગૃહ મંત્રાલયે કહ્યુ કે ગુજરાતમાં મોરબી, રાજકોટ, પાટણ અને વડોદરા, છત્તીસગઢમાં દુર્ગ અને બલૌદાબાજાર, રાજસ્થાનમાં જાલોર, ઉધયપુર, પાલી, બાડમેર અને સિરોહી, હરિયાણામાં ફરીદાબાદ અને પંજાબના જાલંધરમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી સમાજ હિંદુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ લોકોને ભારતીય નાગરિક તરીકે રજિસ્ટર કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. નાગરિકતા કાયદા 1955ની કલમ 16 હેઠળ મળેલી શક્તિઓનો ઉપયોગ કરીને મંત્રાલયે કાયદાની કલમ પાંચ હેઠલ આ નિર્ણય કર્યો છે.
જારી થયેલી અધિસૂચના અનુસાર નાગરિકોએ રજિસ્ટ્રેશન કે દેશીકરણનના પ્રમાણપત્ર માટે આવેદન ઑનલાઈન કરવાનુ રહેશે. આવેદનની ખરાઈ જિલ્લા સ્તર અને રાજ્ય સ્તરે કલેક્ટર કે સચિવો દ્વારા એક સાથે કરવામાં આવશે. આવેદન અને તેનો રિપોર્ટ ઑનલાઈન પોર્ટલ પર કેન્દ્ર સરકારને એક સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે કેન્દ્ર સરકારે 2019માં લાગુ સંશોધિત નાગરિકતા કાયદો(સીએ) હેઠળ નિયમો હાલમાં તૈયાર કર્યા નથી. નાગરિકતા સુધારા કાયદો 2019માં બનાવવામાં આવ્યો હતો. સીએએ હેઠળ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન શોષિત કરવામાં આવેલા આવા લઘુમતી બિન મુસ્લિમોને નાગરિકતા આપવાની જોગવાઈ છે જે 31 મે, 2014 સુધી ભારત આવી ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
