MCD Election : ભાજપના વીડિયોમાં કોઈ ગીત કે ડાન્સ નથી, એટલે વાયરલ નથી થતા - કેજરીવાલે કર્યો કટાક્ષ
MCD Election : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી માટેના દરવાજા બંધ થઇ ચુક્યા છે. જે કારણે ભાજપના લોકો રોજેરોજ એક વીડિયો જાહેર કરી રહ્યા છે.
MCD Election : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી માટેના દરવાજા બંધ થઇ ચુક્યા છે. જે કારણે ભાજપના લોકો રોજેરોજ એક વીડિયો જાહેર કરી રહ્યા છે. દરરોજ વીડિયો રિલીઝ કરે છે, પરંતુ તે એટલા સસ્તી અને કંટાળાજનક હોય છે કે, તે સવારે 9 કલાકે રીલીઝ થાય છે અને 9 થી 12ના શોની જેમ ફ્લોપ થઇ જાય છે. તેમના વીડિયોમાં ન તો ગીતો છે કે ન તો ડાન્સ. જે કારણે વાયરલ થતા નથી. એટલા માટે તેમને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ તેમના નેતાનો રિંકિયા કે પાપા વાલા ડાન્સ મૂકે, તો વીડિયો વાયરલ થશે. જોકે, છેલ્લા 4-5 દિવસથી તેમના તરફથી કોઇ નવો વીડિયો આવ્યો નથી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, હું એકલો ચૂંટણી પ્રચાર કરી રહ્યો છું. ચૂંટણી કામના આધારે થવી જોઈએ, દુરુપયોગના આધારે નહીં. દિલ્હીના લોકો દિલ્હીના માલિક અને કર્તાહર્તા રહેશે. કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું કે, જો આમ આદમી પાર્ટી MCD ચૂંટણી જીતશે તો અમે 'જનતા ચલાયેગી MCD' નામની સ્કીમ લોન્ચ કરીશું.
RWAને મિની કાઉન્સિલરનો દરજ્જો આપશે
આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી લોકો ફરતા હતા, હવે જનતા નક્કી કરશે અને સરકાર કામ કરશે. અમે RWA ને મિની કાઉન્સિલરનો દરજ્જો આપીશું. જો કોઈને કોઈ સમસ્યા હોય તો તેઓ સીધા જ RWA પાસે જઈને તેમનું કામ કરાવી શકે છે. RWA ને ફંડ આપવામાં આવશે. તેમને મજબૂત કરવા માટે કામ કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય જનતાને દિલ્હીના કર્તાહર્તા બનાવવાનો છે.
આ સાથે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીના દરેક નાગરિકને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં આવશે. કેજરીવાલે RWA સભ્યોને ઘરે-ઘરે જઈને આમ આદમી પાર્ટી માટે મત માંગવા અપીલ કરી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે, એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 230થી વધુ સીટો મળશે. આવા સમયે, ભાજપની બેઠકોની સંખ્યા 20થી ઓછી રહેશે.
ભાજપના 7 મુખ્યમંત્રી અને 17 મંત્રી દિલ્હીમાં ફરે છે
કેજરીવાલે જણાવ્યું હતું કે, જનતા નથી ઈચ્છતી કે દુર્વ્યવહાર થાય. આજે ભાજપના 7 મુખ્યમંત્રી, એક નાયબ મુખ્યમંત્રી, 17 કેબિનેટ મંત્રીઓ દિલ્હીમાં છે. આટલા બધા નેતાઓની જરૂર કેમ પડી, કારણ કે તેમણે 15 વર્ષમાં કામ કર્યું નથી. મેં એક કેબિનેટ મંત્રીને પૂછ્યું કે, તમે શું કરો છો, તેમણે કહ્યું કે અમને બ્રિફ મળે છે અને તે પ્રમાણે બોલવું પડે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમાં શું થાય છે, તો તેમણે કહ્યું કે, માત્ર કેજરીવાલને જ ગાળો આપવાની છે. તેમાં કોઈ રોકેટ સાયન્સ નથી.
કેજરીવાલે કહ્યું, હું કહું છું કે હું વિકાસ કરીશ, તો તેઓ કહે છે કે, તેઓ કેજરીવાલના હાથ-પગ તોડી નાખશે. જ્યારે હું કહું છું કે, હું કચરો હટાવીશ તો તેઓ કહે છે કે, તેઓ કેજરીવાલની આંખો ફોડી નાખશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
