Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં મહાયુતિને ડુબાડી શકે છે અજીત પવાર, જાણી લો કારણો
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મહાયુતિની પાર્ટીઓએ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
એક તરફ મહાયુતિના ઉમેદવારો જાહેર થઈ રહ્યાં છે તો બીજી તરફ અટકળો લાગી રહી છે કે આ વખતે અજીત પવાર બીજેપી અને સહયોગી પાર્ટીઓની નૈયા ડુબાડી શકે છે.

જણાવી દઈએ કે, આ વખતે મહારાષ્ટ્રમાં મહાભારતના મહાયુતિ ગઠબંધનમાં કુલ 288 બેઠકોમાંથી ભાજપ 156 બેઠકો પર, અજિત પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) 53-54 બેઠકો પર અને એકનાથ શિંદે શિવસેના 78-80 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
સૂત્રો અનુસાર, મહાયુતિના ઘટક પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી પર વાટાઘાટો થઈ ગઈ છે પરંતુ ભાજપ તેના મહાયુતિ સાથી અજિત પવાર NCP વિશે સુરક્ષિત નથી અનુભવી રહ્યું.
સમાચારો અનુસાર, મહારાષ્ટ્રની રાજનીતિ પર પકડ ધરાવતા લોકો માને છે કે અજિત પવારની એનસીપી મહાગઠબંધન માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે. એવુ પણ કહેવાઈ રહ્યું છે કે મહારાષ્ટ્રમાં અજિત પવાર મહાયુતિની નાવને ડુબાડી શકે છે. આ દાવા પાછળ આ કારણો અપાઈ રહ્યાં છે.
શરદ પવાર સાથે દગો
2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જનતાની લાગણી શરદ પવાર સાથે છે, 2019 વિધાનસભા ચૂંટણી પછી અજિત પવારે કાકા શરદ પવારને દગો કર્યો અને અલગ થઈ ગયા. આઓ અજિત પવારની રાજકીય કારકિર્દી પર આ સૌથી મોટો ડાઘ છે. જનતામાં તેમની છબી એક તકવાદી નેતાની બની છે. આ ફેક્ટર બીજેપીને પણ ડરાવી રહ્યું છે.
લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન
મહારાષ્ટ્રમાં શાસક મહાગઠબંધનનો ભાગ બનીને અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા હોવા છતાં તેમની રાજકીય શક્તિ હજુ પણ શરદ પવારની એનસીપીની તુલનામાં ઓછી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં તેનો પુરાવો મળ્યો છે.
લોકસભા ચૂંટણીમાંમાં અજિત પવાર ચારમાંથી માત્ર એક બેઠક જીતવામાં સફળ રહ્યાં. બીજી તરફ શરદ પવારની આગેવાની હેઠળના એનસીપીના ઉમેદવારોએ 8 બેઠકો જીતી.
વિધાનસભા બેઠકોની દ્રષ્ટિએ લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો NCP (SP) 34 બેઠકો પર આગળ હતી જ્યારે અજિત પવારની NCP છ બેઠકો પર આગળ રહી.
NCP વોટ કાપનારી પાર્ટી બની શકે
અજિત પવારની રાજકીય કહાની હરિયાણાના દુષ્યંત ચૌટાલા જેવી છે. બંનેએ તેમના કાકા સામે બળવો કર્યો અને નવી પાર્ટી બનાવી અને ડેપ્યુટી સીએમ બનવા માટે બીજેપી ગઠબંધનમાં જોડાયા.
જો કે હરિયાણાની ચૂંટણી 2024 પહેલા દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપીએ બીજેપી છોડી દીધી અને પોતાના દમ પર ચૂંટણી લડી. તેની પાછળની વ્યૂહરચના એ હતી કે જેજેપી એકલા ચૂંટણી લડીને જાટ મતોને કાપી શકે. તેવી જ રીતે જો અજિત પવાર તેમની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે એકલા ચૂંટણી લડ્યા હોત તો શરદ પવાર એનસીપીના મતો કાપી શક્યા હોત.
એનડીએથી વિરોધી નિવેદનબાજી
થોડા દિવસો પહેલા અજિત પવારે એક નિવેદન આપ્યું હતું કે તેમણે તેમના ક્વોટામાંથી દસ ટકા ટિકિટ મુસ્લિમ ઉમેદવારોને આપવાનું વચન આપ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે અજિત પવારે એનડીએની લાઇન લેન્થથી આગળ જઈને નિવેદનો આપ્યા હોય.
અજિત પવારની એનસીપીના પૂર્વ મંત્રી નવાબ મલિક સાથેની જાહેર સભાઓ પર પણ ભાજપમાં સવાલો ઉભા થયા હતા. જ્યારથી અજિત પવાર મહાગઠબંધનનો હિસ્સો બન્યા ત્યારથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે તેઓ લાંબા સમય સુધી NDAમાં નહીં રહે. જલ્દી ઘરવાપસી કરશે.
બીજેપીના વોશિંગ મશીનમાં સાફ થયાનો ટોણો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં અજિત પવાર એક વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેઓ વારંવાર ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈ જવાના ટોણા સાંભળે છે. મહાયુતિનો હિસ્સો બનતા પહેલા બીજેપીના નેતાઓ તેમના પર હજારો કરોડના કૌભાંડનો આરોપ લગાવતા હતા પરંતુ એનડીએનો હિસ્સો બન્યા બાદ તેમણે આરોપો લગાવવાનું બંધ કરી દીધું.
આવી સ્થિતિમાં વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડી અજિત પવારની મજાક ઉડાવે છે. કહે છે કે તે ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા છે.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં મહાયુતિ અને મહા વિકાસ અઘાડી વચ્ચે સીટની વહેંચણી થતાં સાથે જ ઉમેદવારોની યાદી પુરજોશમાં જાહેર કરવામાં આવી રહી છે. મહાગઠબંધનમાં ભાજપે પ્રથમ યાદીમાં 99 ઉમેદવારો જાહેર કર્યા છે. શિંદે શિવસેનાએ 45 ઉમેદવારો જાહેર કર્યા છે અને આજે બુધવારે અજિત પવાર NCPએ 38 ઉમેદવારો જાહેર કર્યા છે.












Click it and Unblock the Notifications
