મધ્ય પ્રદેશના વિદિશામાં મોટી દૂર્ઘટનાઃ કૂવામાં પડવાથી 4ના મોત, 19 લોકોને બચાવાયા, રેસ્ક્યુ ઑપરેશન ચાલુ
મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં ગુરુવારે(15 જુલાઈ) સાંજે એક મોટી દૂર્ઘટના બની ગઈ જ્યાં એક કૂવામાં પડવાથી 4 લોકોના મોત થઈ ગયા છે.
ભોપાલઃ મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં ગુરુવારે(15 જુલાઈ) સાંજે એક મોટી દૂર્ઘટના બની ગઈ જ્યાં એક કૂવામાં પડવાથી 4 લોકોના મોત થઈ ગયા છે. કૂવામાં પડી ગયેલા 19 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કૂવામાં લગભગ 30 લોકો પડી ગયા હતા. જેમાં અમુક બાળકો પણ શામેલ છે. રેસ્ક્યુ ઑપરેશન હજુ પણ ચાલુ છે. બનાવની ગંભીરતાને જોતા રાજધાની ભોપાલથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી.

ઘટના વિશે મધ્ય પ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગે શુક્રવારે(16 જુલાઈ)એ સવારે કહ્યુ કે વિદિશામાં ગંજબાસૌદામાં ઑપરેશન ચાલુ છે. 19 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 4 શબ મળ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ અહીં છે. અહીં જમીન ધસી ગઈ હોય તેવી સંભાવના છે, આવુ વારંવાર થઈ રહ્યુ છે. ઑપરેશન ખતમ થયા બાદ જ ચોક્કસ નુકશાન વિશે કહી શકાશે.
મૃતકના પરિવારજનોને આપવામાં આવશે 5 લાખનુ વળતરઃ સીએમ શિવરાજ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ છે કે દરેક મૃતકના પરિવારજનને 5-5 લાખ રૂપિયાનુ વળતર મળશે. વળી, ઘાયલોને 50-50 હજાર રૂપિયાનુ વળતર આપવાની જાહેરત કરવામાં આવી છે. સીએમ ચૌહાણે ઘાયલોને મફત ઈલાજની પણ ઘોષણા કરી છે. વળી, ગુરુવારની સાંજે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ હતુ કે ભોપાલથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને મોકલવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાધિકારી અને એસપીને પણ ઘટના સ્થળે રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
કેવી રીતે બની આ દૂર્ઘટના?
રિપોર્ટ મુજબ ઘટના ગંજબસૌદાના લાલ પઠાર ગામની છે જ્યાં સૌથી પહેલા એક બાળક કૂવામાં પડી ગયુ. ત્યારબાદ સ્થાનિક લોકોએ પોતાની રીતે તેને કાઢવાનુ કામ શરૂ કરી દીધુ. ત્યારે ત્યાં ગામ લોકોને ભીડ જમા થઈ ગઈ. જેના કારણે કૂવાની દીવાલ લોકોનુ વજન ના ઝીલી શકી અને તે સંપૂર્ણપણે તૂટી ગઈ. કિનારે ઉભેલા લગભગ 30થી વધુ લોકો કૂવામાં પડી ગયા. ત્યારબાદ રેસ્ક્યુ ટીમે લોકોને કૂવામાંથી કાઢવાનુ કામ શરૂ કર્યુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
