Lok Sabha Elections 2024: રણનીતિ બનાવવાની શરુઆત! ભાજપે મુખ્યમંત્રીઓ અને ઉપ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી
Lok Sabha Elections 2024: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવ્યા બાદ કોંગ્રેસ ઉત્સાહિત છે. હવે ભાજપે તેમની ખામીઓને દૂર કરવા અને વ્યૂહરચના મજબૂત કરવા માટે દેશભરના મુખ્યમંત્રીઓ અને ઉપ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે.
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ ભાજપના એક સૂત્રએ જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેન્દ્રીય નેતૃત્વએ 11 જૂનના રોજ નવી દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવવામાં આવી છે.

પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકનો એજન્ડા કેટલાક રાજ્યોમાં આગામી 12 મહિનામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને રાજ્ય સંગઠન સચિવ બીએલ સંતોષ સાથે હાજર રહેશે.
બુધવારે જેપી નડ્ડાએ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં પાર્ટી કાર્યકરો સાથે ખાસ 'ટિફિન મીટિંગ' કરી હતી. પાર્ટીના કાર્યકર્તાઓને જમીન સાથે જોડાયેલા રહેવા અને લોકોના દિલ જીતવા માટે અલગ-અલગ રસ્તાઓ શોધવા સૂચના આપી.
બીજેપીના એક સૂત્રએ ANIને જણાવ્યું કે ટિફિન મીટિંગમાં, બીજેપી ચીફ જેપી નડ્ડાએ પાર્ટીના નવા અને જૂના કાર્યકરોને એક મહત્વપૂર્ણ મંત્ર આપ્યો અને પાર્ટીના કાર્યકરોને કહ્યું કે તેઓએ જમીન પર વળગી રહેવું પડશે. રિપોર્ટ અનુસાર, નડ્ડાએ સ્પષ્ટ કર્યું છે કે લોકોના દિલ જીતવા માટે અલગ-અલગ રસ્તાઓ શોધવા પડશે.
મીટિંગમાં જેપી નડ્ડાએ પાર્ટીના કાર્યકરોને સ્વ-શિસ્ત અને એકબીજા સાથે એકજૂટ આહ્વાન કર્યુ હતુ તેમ પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું હતું. ભાજપ અધ્યક્ષે કાર્યકર્તાઓને કહ્યું કે આપણા બધા માટે આપણા ઘમંડને દૂર કરીને આપણી જવાબદારી સુનિશ્ચિત કરવા માટે સ્વ-શિસ્ત ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અહેવાલ મુજબ, નડ્ડાએ કહ્યું, "ખેડૂતનો મુદ્દો, બેટી બચાવો મુદ્દો અથવા અન્ય કોઈ સામાજિક મુદ્દા જેવા કોઈપણ સળગતા મુદ્દામાં સૌથી મહત્વની બાબત એ છે કે જો કોઈ અથવા વિપક્ષ હુમલો કરવાનો અથવા પ્રશ્ન કરવાનો પ્રયાસ કરે છે તો દરેકે આવા મુદ્દાઓને નમ્રતાથી હેન્ડલ કરવાનો પ્રયાસ કરવો.
નડ્ડાએ ભાજપના નેતાઓ-કાર્યકરોને કહ્યું કે, જનતાને ખાતરી આપવી જોઈએ કે ભાજપ હંમેશા સમાજની સાથે છે અને પાર્ટી સમાજ કલ્યાણ માટે કામ કરે છે. ક્યારેય કોઈના પ્રત્યે આક્રમક ન બનો.
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ એ પણ ઉલ્લેખ કર્યો કે પાર્ટીએ ગરિમા સાથે તેની સ્થિતિ જાળવી રાખવી જોઈએ અને જન કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અમે માત્ર ભારતની સૌથી મોટી પાર્ટી નથી, દુનિયાની સૌથી મોટી પાર્ટી પણ છીએ.
તેમણે કહ્યું, "અમે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી કરતા મોટા છીએ, તેથી આપણે ગૌરવ સાથે એકજૂટ રહેવું પડશે. આપણે આપણુ સ્થાન જાળવી રાખવું પડશે. હંમેશા લોકોના કલ્યાણ માટે દરરોજ કામ કરો. નવા લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી, મહેશ શર્મા અને પંકજ સિંહ સહિત ગૌતમ બુદ્ધ નગર પાર્ટીના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
