Lok Sabha Elections 2024 : આ મોટા રાજ્યોમાં બીજેપીને મોટી મુશ્કેલી, Lokniti-CSDS ના ડિરેક્ટરનો ચૌકાવનારો દાવો
લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને ચૂંટણી વિશ્લેષકોની ભવિષ્યવાણીનું બજાર ગરમ છે ત્યારે Lokniti-CSDS ના ડિરેક્ટર સંજય કુમારે બીજેપીની સીટોને લઈને મોટો દાવો કર્યો છે.
સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS)-લોકનીતિના સહ-નિર્દેશક પ્રોફેસર સંજય કુમારે લોકસભા ચૂંટણી 2024ને લઈને ચોંકાવનારી આગાહી કરી છે.

તેમણે કહ્યું કે, છ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન છેલ્લી સામાન્ય ચૂંટણીઓની સરખામણીમાં વધવાનો કોઈ અવકાશ નથી.
આ રાજ્યોમાં પાર્ટીને નુકસાન થઈ શકે છે. જો કે, આ વળતર દક્ષિણ અને પૂર્વ ભારતના કેટલાક રાજ્યોમાંથી આવી શકે છે.
સંજય કુમાર અનુસાર, લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ અને બીજા તબક્કાના મતદાન દરમિયાન ભાજપ માટે અપેક્ષાઓ વધુ હતી. ચૂંટણી જેમ જેમ ચોથા તબક્કામાં પહોંચી તેમ તેમ તે ભાજપ માટે મુશ્કેલ બની ગઈ.
એપ્રિલના સર્વેક્ષણ વિશે પૂછવામાં આવ્યું તો સંજય કુમારે કહ્યું કે, ભાજપના 40% મતોમાંથી 12% રિલક્ટેંટ હતા. સંજય કુમારે કહ્યું કે રિલક્ટેંટ મતદાર એવા છે કે જેણે સર્વેમાં કહ્યું હતું કે તે ભાજપને મત આપશે પરંતુ તે ઈચ્છતો નથી કે પાર્ટી ફરી જીતે.
CSDS-લોકનીતિના સહ-નિર્દેશક સંજય કુમાર કહે છે કે, ચૂંટણીમાં છ તબક્કાના મતદાન પછી રિલક્ટેંટ બીજેપી મતદારોમાં ફેરફાર થયો છે. તેમણે કહ્યું કે, 2019ની ચૂંટણી ખરેખર એક ચૂંટણી હતી, જે રાષ્ટ્રીય મુદ્દા પર લડવામાં આવી હતી.
સંજય કુમારે દાવો કર્યો કે, તેમને 2024ની ચૂંટણીમાં કોઈ રાષ્ટ્રીય મુદ્દો દેખાતો નથી. તે સ્પષ્ટ થઈ ગયું કે મોટા મુદ્દાઓ કામ કરી રહ્યા નથી. કોંગ્રેસનું પ્રદર્શન 2019 કરતા વધુ સારું લાગે છે પરંતુ ભાજપનું પ્રદર્શન થોડું ખરાબ હોઈ શકે છે.
તેમને અપેક્ષા છે કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળમાં ભાજપ વધુ સારું કરશે. સંજય કુમારના મતે ભાજપને રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં નુકસાન થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
