18 ઓક્ટોબર સુધી તમામ પોલીસકર્મીઓની રજા રદ્દ

ખેડૂતોના વિરોધ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને 18 ઓક્ટોબર સુધી પોલીસકર્મીઓની તમામ પ્રકારની રજા રદ્દ કરી છે. ADG (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે રવિવારના રોજ આ સંદર્ભમાં આદેશ જાહેર કર્યો છે.

લખનઉ : ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ખેડૂતોના વિરોધ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને 18 ઓક્ટોબર સુધી પોલીસકર્મીઓની તમામ પ્રકારની રજા રદ્દ કરવામાં આવી છે. ADG (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે રવિવારના રોજ આ સંદર્ભમાં આદેશ જાહેર કર્યો છે. લખીમપુર ખેરી જિલ્લામાં 10 IPS અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય પશ્ચિમના 13 જિલ્લાઓમાં 20 IPS અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

uttar pradesh

18 ઓક્ટોબર સુધી તમામ પોલીસકર્મીઓની રજા રદ્દ

ADG (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમાર દ્વારા આપેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, સંયુક્ત કિસાન મોરચાના આગામી તહેવારો અને પ્રસ્તાવિત કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ પોલીસે 18 ઓક્ટોબર સુધી તમામ પ્રકારની કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન રજા માત્ર અનિવાર્ય કારણોસર હેડક્વાર્ટરની પૂર્વ મંજૂરી મારફતે જ માન્ય રાખવામાં આવશે. આ આદેશનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવશે.

આગામી તહેવાર અને ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો નિર્ણય

આખો દેશ નવરાત્રીનો તહેવાર ઉજવી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન વિવિધ સ્થળોએ દુર્ગા પૂજા પંડાલ ઉભા કરવામાં આવી રહ્યા છે. રામલીલાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. તહેવારોને ધ્યાનમાં રાખીને મંદિરો, દુર્ગા પૂજા પંડાલો, રામલીલાઓ, બજારો અને જાહેર સ્થળોએ ભીડ થવાની સંભાવના છે. બીજી બાજુ સંયુક્ત કિસાન મોરચા (SKM) એ 12 ઓક્ટોબરના રોજ ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાના ટિકોનિયાના ખેડૂતોને 'અલીમ અરદાસ'માં ભાગ લેવા હાકલ કરી છે. રવિવારના રોજ અહીં હિંસા દરમિયાન ચાર ખેડૂતો સહિત આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. સંયુક્ત કિસાન મોરચાએ 12 ઓક્ટોબરની સાંજે કેન્ડલ માર્ચ માટે પણ અપીલ કરી હતી.

"રેલ રોકો" આંદોલનનો પણ સમાવેશ

આ સિવાય 15 ઓક્ટોબરના રોજ દશેરા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સ્થાનિક નેતાઓ દ્વારા ભાજપ સરકારના પૂતળા પણ બાળવામાં આવે છે. 18 ઓક્ટોબરના રોજ સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી દેશભરમાં "રેલ રોકો" વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમાર દ્વારા તમામ ઝોનલ અધિક પોલીસ મહાનિર્દેશક, પોલીસ કમિશનર, પ્રાદેશિક મહાનિરીક્ષક પોલીસ, નાયબ પોલીસ મહાનિરીક્ષક, જિલ્લા પોલીસ પ્રભારી, પોલીસ, રેલવે પોલીસ કર્મચારીઓની રજા 18 ઓક્ટોબર સુધી રદ્દ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X