કોટામાં 100 બાળકોના મોત મામલે વળતરના સવાલ પર આરોગ્ય મંત્રી - કોઈ પહેલી વાર મર્યુ છે શું?
રાજસ્થાનના કોટા સ્થિત જે કે લોન હોસ્પિટલમાં બાળકોના મોતનો આંકડો 100 સુધી પહોંચી ગયો છે ત્યારે આરોગ્ય મંત્રી રઘુ શર્માનુ અસંવેદનશીલ નિવેદન આવ્યુ છે.
રાજસ્થાનના કોટા સ્થિત જે કે લોન હોસ્પિટલમાં બાળકોના મોતનો આંકડો 100 સુધી પહોંચી ગયો છે. 100 શિશુઓના મોત પર વિપક્ષ સતત અશોક ગહેલોત સરકાર પર નિશાન સાધી રહ્યુ છે અને આના પર બેદરકારી માટે જવાબદાર ગણાવી રહ્યુ છે. તો બીજી તરફ, રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માનુ કહેવુ છે કે ડૉક્ટરોની બેદરકારીનો કોઈ કેસ સામે આવ્યો નથી.

આરોગ્ય મંત્રીનું અસંવેદનશીલ નિવેદન
એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં રઘુ શર્માએ એવુ કેઈ કહ્યુ જેના પર રાજકારણ ગરમાઈ શકે છે. તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે 100 બાળકોના મોત થઈ ગયા છે, તેમનો આખો પરિવાર શોકમાં છે, તો શું તે કોઈ આર્થિક મદદનુ એલાન કરશે. આના પર રાજસ્થાનના આરોગ્ય મંત્રીએ કહ્યુ, ‘કોઈ પહેલી વાર મર્યા છે શું? વળતરના સવાલ પર હું કંઈ ના કરી શકુ.' આ સવાલ પર રઘુ શર્મા એટલા ભડક્યા કે ઈન્ટરવ્યુને વચમાં જ તેમણે અટકાવી દીધો.

સીએએથી ધ્યાન હટાવવા માટે કોટાના મુદ્દાને ઉઠાવવામાં આવી રહ્યોઃ સીએમ
કોટાના જે કે લોન હોસ્પિટલમાં 100 બાળકોના મોત બાદ અશોક ગહેલોત સરકાર વિપક્ષના નિશાના પર છે. વળી ગુરુવારે રાજ્યના સીએમ અશોક ગહેલોતનુ પણ નિવેદન આવ્યુ. કોટામાં બાળકોના મોત મામલે મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી ગહેલોતે કહ્યુ કે નાગરિકતા સુધારા કાયદા સામે આખા દેશમાં જે માહોલ છે તેનાથી ધ્યાન હટાવવા માટે આ મુદ્દાને ઉઠાવવામાં આવી રહ્યો છે.

5 વર્ષમાં આ સૌથી ઓછો આંકડોઃ ગહેલોત
ગહેલોતે કહ્યુ, હું પહેલા જ કહી ચૂક્યો છુ કે આ વર્ષે નવજાત શિશુઓના મોતના આંકડામાં ગયા વર્ષની તુલનામાં ઘણો ઘટાડો થયો છે. અશોક ગહેલોતે કહ્યુ કે આ સમગ્ર મામલે મીડિયામાં જે ચાલી રહ્યુ છે તેમાં કોઈ દમ નથી. ગયા 5 વર્ષમાં આ સૌથી ઓછો આંકડો છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનની અશોક ગહેલોત સરકારની તપાસ કમિટીએ હાલમાં જ જે રિપોર્ટ સોંપ્યો છે તેમાં બાળકોના મોત પાછળ હોસ્પિટલના વેંટિલેટર અને વૉર્મર ખરાબ હોવા સહિત અન્ય કારણ જણાવવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
