Kolkata: મેટ્રો માટે ટનલ ના ખોદકામ દરમિયાન 10 ઘરોમાં આવી તિરાડ, લોકોને હોટલને કરાયા શિફ્ટ
કોલકાતાના બઉબજાર વિસ્તારમાં ઈસ્ટ-વેસ્ટ મેટ્રોના અંડરગ્રાઉન્ડ ટનલના નિર્માણ કાર્ય દરમિયાન 10થી વધુ મકાનોમાં તિરાડો પડી ગઈ છે. આજે સવારે 7 વાગ્યાની આસપાસ આ તિરાડો જોવા મળી હતી. ઘરોમાં તિરાડો જોઈને લોકો ઘરની બહાર નીકળીને રસ
કોલકાતાના બઉબજાર વિસ્તારમાં ઈસ્ટ-વેસ્ટ મેટ્રોના અંડરગ્રાઉન્ડ ટનલના નિર્માણ કાર્ય દરમિયાન 10થી વધુ મકાનોમાં તિરાડો પડી ગઈ છે. આજે સવારે 7 વાગ્યાની આસપાસ આ તિરાડો જોવા મળી હતી. ઘરોમાં તિરાડો જોઈને લોકો ઘરની બહાર નીકળીને રસ્તાના કિનારે બેસી ગયા હતા. લોકોને ઘર પડી જવાનો ડર હતો. કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશન (KMRC)ના જનરલ મેનેજરે જણાવ્યું હતું કે આવી સમસ્યા સામે આવ્યા બાદ 140 થી વધુ લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને નજીકની હોટલોમાં ખસેડવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બઉબજાર મેટ્રો ટનલમાં કામ દરમિયાન પાણી લીક થવાને કારણે શુક્રવારે સવારે મદન દત્તા લેનના કેટલાય ઘરોમાં મોટી તિરાડો જોવા મળી હતી. 10થી વધુ મકાનોમાં તિરાડો જોયા બાદ વિસ્તારના લોકો ભયભીત થઈને ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. તે જ સમયે, મકાનોમાં તિરાડો પડવાની માહિતી મળતા જ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને બાંધકામ એજન્સી કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (KMRCL) સહિત પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
મકાન તૂટવાની ઘટનાથી લોકો ગભરાટમાં છે અને ઘર છોડીને રસ્તા પર આવી ગયા છે. આ દરમિયાન KMRCના જનરલ મેનેજરે કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ 140 લોકોને નજીકની હોટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે KMRCLએ 100 ચોરસ ફૂટ સુધીના નુકસાન માટે રૂ. 1 લાખ અને 100 ચોરસ ફૂટથી વધુના નુકસાન માટે રૂ. 5 લાખનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે. સાથે સાથે પાણીના લીકેજને રોકવાના પ્રયાસો ચાલુ છે.
સ્થાનિક તૃણમૂલ ધારાસભ્ય નયના બંદોપાધ્યાય બીજેપી કાઉન્સિલર સજલ ઘોષ અને વરિષ્ઠ ડાબેરી નેતા મોહમ્મદ સલીમ ઘરોમાં તિરાડોની માહિતી મળતાની સાથે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પીડિતો સાથે વાત કર્યા બાદ તમામ સહયોગની ખાતરી આપી હતી. આ દરમિયાન તૃણમૂલ ધારાસભ્ય નયના બંધોપાધ્યાયે કહ્યું કે, 'અત્યાર સુધી આ કામ બંધ હતું, પરંતુ પછી મેટ્રોએ કામ શરૂ કરતાની સાથે જ તિરાડો પડવા લાગી. અમે હજુ પણ નથી જાણતા કે માટી અંદર કેટલો સમય સ્થિર રહેશે. અમારી અપીલ છે કે મેટ્રો મેનેજમેન્ટ જણાવે કે પરિસ્થિતિ શું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
